Site icon News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict : સમગ્ર વિશ્વ એ જોઈ ભારતની કૂટનીતિની શક્તિ, ઇઝરાયલી હુમલા વચ્ચે ઈરાન ખોલશે પોતાનું હવાઈ ક્ષેત્ર, આટલા ભારતીયોને મોકલશે સ્વદેશ..

Iran Israel Conflict : ઇઝરાયલ સાથે યુદ્ધમાં રહેલા ઇરાને ભારત માટે પોતાનું બંધ હવાઈ ક્ષેત્ર ખોલી દીધું છે, જેના કારણે ભારતીય લોકોને બહાર કાઢવાનું સરળ બન્યું છે.ભારત સરકાર 'ઓપરેશન સિંધુ' નામના કટોકટી સ્થળાંતર કાર્યક્રમ દ્વારા તેહરાન અને ઇરાનના અન્ય શહેરોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને દિલ્હી લાવી રહી છે. આગામી 2 દિવસમાં 1,000 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકાર સતત ઇરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

Iran Israel Conflict Iran makes an exception, opens airspace to facilitate evacuation of 1,000 Indian students

Iran Israel Conflict Iran makes an exception, opens airspace to facilitate evacuation of 1,000 Indian students

News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict : ભારતે ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાની રાજદ્વારી કુશળતા દર્શાવી છે. ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઈરાને ખાસ કરીને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે. આ પગલું ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ઈરાનની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. આ નિર્ણયથી લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવાનો માર્ગ મોકળો થયો છે. આ સફળતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી નીતિઓ અને રાજદ્વારી કુશળતાનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

Iran Israel Conflict : ઈરાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું

ઈરાને ખાસ કરીને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે, જેના પછી આજે રાત્રે દિલ્હી પરત ફરતા 1,000 વિદ્યાર્થીઓને રાહત મળી છે. તેહરાન માં ફસાયેલા આ વિદ્યાર્થીઓનું સુરક્ષિત વાપસી હવે શક્ય બની છે. પહેલી ફ્લાઇટ આજે રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી પહોંચશે, જ્યારે બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવારે પહોંચશે. આમાંથી એક સવારે અને બીજી સાંજે દિલ્હીમાં ઉતરશે. આ જાહેરાત પછી, ફસાયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ઘણી રાહત મળી છે.

Iran Israel Conflict : ઈરાનમાં અત્યાર સુધીમાં કુલ ભારતીયોની સંખ્યા

ભારત સરકાર દ્વારા 2025 ની શરૂઆતમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહેતા હતા, જેમાંથી 6,000 વિદ્યાર્થીઓ હતા. જોકે, વિદેશ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, અત્યાર સુધીમાં ઈરાનમાં કુલ ભારતીયોની સંખ્યા 10,320 છે, જેમાં 445 ભારતીય મૂળના અન્ય લોકોનો સમાવેશ થાય છે. આમ, કુલ 10,765 ભારતીયો હાલમાં ઈરાનમાં હાજર છે. હાલમાં યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ વચ્ચે, લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ ઈરાનમાં હાજર છે, જ્યારે વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સહિત અન્ય ભારતીય નાગરિકોની સંખ્યા વધુ છે.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War: ઈરાને પોતાના વૈજ્ઞાનિકોના મૃત્યુનો બદલો લીધો, આ મિસાઇલથી કર્યો હુમલો; અનેક શહેરોમાં વાગવા લાગ્યા સાયરન..

Iran Israel Conflict : આ કારણે ‘ઓપરેશન સિંધુ’ શરૂ થયું

મહત્વનું છે કે ગત  13 જૂનના રોજ ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર લગભગ 200 ફાઈટર જેટથી હવાઈ હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને અત્યાર સુધીમાં ઈઝરાયલ પર ૪૦૦ થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. સતત હુમલાઓ, સાયરન, વીજ કાપ અને ઈન્ટરનેટ બંધ થવાથી ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો ભય અને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. જેનો હેતુ ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે.  

 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version