Site icon News Continuous Bureau | Mumbai

મોદીના ખાસ મિત્ર અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આપ્યું રાજીનામું, આ કારણે આપવું પડ્યું અચાનક રાજીનામું ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

28 ઓગસ્ટ 2020 

જાપાનના વડાપ્રધાન શિંજો આબે એ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. ખરાબ તબીયતના કારણોનો હવાલો આપતા તેમણે શુક્રવારે ઔપચારિક જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબે છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે અને આ દરમિયાન તેમને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ખરાબ તબિયતના પગલે શિંજોના આ નિર્ણય અંગે અગાઉ અટકળો થઈ રહી હતી.. 

આબે વર્ષોથી અલ્સરેટિવ કોલાઈટિસ (આંતરડામાં ચાંદા)ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તેમણે એક સપ્તાહમાં બે વાર હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ સાથે જ તેઓના સપ્ટેમ્બર 2021 સુધી પીએમ પદ પર રહેવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.    

અત્રે જણાવવાનું કે ગત સોમવારે આબેએ પોતાના કાર્યાલયમાં 8 વર્ષ પૂરા કર્યાં. તેઓ જાપાનના સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા વ્યક્તિ છે. 65 વર્ષના આબેએ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનું વચન આપ્યું હતું. ચીનના જોખમને જોતા આબે જાપાની સેનાને મજબુત કરવામાં લાગ્યા હતાં. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે ભારતના વડાપ્રધાન મોદીના ખાસ મિત્ર છે.

આબેના રાજીનામાના અહેવાલને પગલે જાપાનના શેરબજારનો સૂચકાંક નિક્કાઈ 2.12 ટકા ગગડીને 22,717 થયો હતો. પીએમ પદેથી આબેના રાજીનામા બાદ દેશનું સુકાન કોને મળી શકે તે અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે. આગામી બેથી ત્રણ અઠવાડિયામાં શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી તેમના નેતાને સંસદમાં ચૂંટશે. ચૂંટાયેલા નવા નેતા આબેના બાકીના કાર્યકાળ સુધી જવાબદારી સંભાળશે. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

US Iran Peace Deal શું શાંત થશે મધ્ય પૂર્વનો તણાવ? અમેરિકાઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ૧૪ મુદ્દાઓ ચર્ચામાં.
US Attacks on Ships ઓમાનના તટ પર અમેરિકી હુમલા ભારતીય નાવિકોના મોત મામલે ભારતે અમેરિકી રાજદ્વારીને તલબ કર્યા
Trump’s Decision ટ્રમ્પે ઈરાન પરના હુમલા શા માટે રોક્યા? કતર અને યુએઈના કહેવાથી બદલાયો નિર્ણય!
Indian Sailor Death નાવિકોના મોતથી ઈરાન ગમગીન કહ્યું ‘અમે ભારતની સાથે છીએ, અમેરિકાનું કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ.’
Exit mobile version