Site icon News Continuous Bureau | Mumbai

અદાણીને અટકાવવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર, ઑસ્ટ્રેલિયામાં માફિયાઓએ જમીનનો કબજો લીધો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

છેલ્લાં પાંચ અઠવાડિયાંથી ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં અદાણીની કારમાઇકલ કોલસાની ખાણની જગ્યા પર કબજો જમાવનાર ફર્સ્ટ નૅશન્સ સ્વદેશી લોકોના જૂથને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ તેમને બળજબરીથી આ વિસ્તારમાંથી હટાવવામાં આવશે નહીં. 

મીડિયા સંસ્થા ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ આ વિરોધ કરનારા લોકો વાંગાન અને જગલિંગુ જૂથના છે અને ખાણની જમીનના પરંપરાગત માલિકો છે. તેઓએ અદાણીની ખાણની સીમા અંદર સાંસ્કૃતિક સમારોહ ઑગસ્ટના અંતમાં શરૂ કર્યો હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અદાણીએ આ જૂથને ‘પરંપરાગત પ્રવૃત્તિની આડમાં અતિક્રમણ કરી રહ્યા છે’ એવું કહ્યું હતું. ‘ધ ગાર્ડિયન’ દ્વારા રજૂ કરાયેલા ઑડિયો રેકૉર્ડિંગમાં પોલીસ અધિકારીઓ સ્વદેશી લોકોના જૂથને કહ્યું હતું કે અમે સમજી શકીએ છીએ કે સંસ્કૃતિ સાથે તમારું જોડાણ અદૃશ્ય થઈ રહ્યું છે અને તમે એને ગુમાવવા માગતા નથી.

'મહાનવમી' પર લાગ્યો જોરદાર ઝટકો, આજે ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ; જાણો મુંબઈમાં કેટલા રૂપિયામાં વેચાઈ રહ્યું છે ઇંધણ 

પોલીસ અધિકારીએ રેકૉર્ડિંગમાં કહ્યું હતું કે તમે અત્યારે તમારી ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છો. માનવ અધિકાર કાયદા હેઠળ તમને અમે ન અટકાવી શકીએ અને અમે એવું કરવા પણ નથી માગતા. અમારો તમને ટેકો છે. અદાણીએ વાંગાન અને જગલિંગુ લોકો સાથે ઔપચારિક જમીન-ઉપયોગ કરાર કર્યો હોવા છતાં, કેટલાક પરંપરાગત માલિકો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. ખાણ સામે અનેક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

એક વાંગન અને જગલિંગુ વ્યક્તિ કોએડી મેકઅવોયે ‘ધ ગાર્ડિયન’ને કહ્યું કે અમારું જૂથ અમારી સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિ અમારી જમીન પર કરી રહ્યું છે, આ સ્થાન અમારા પૂર્વજોનું છે.

MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
USIran Peace Initiative મિડલ ઈસ્ટમાં શાંતિના પ્રયાસો અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોમાં ૬૦ દિવસની આપી રાહત, છતાં પરમાણુ મુદ્દે મડાગાંઠ યથાવત
IndiaPakistan Tensions પાકિસ્તાનની યુદ્ધની ધમકી પર ભારતનો વળતો પ્રહાર; વિદેશ મંત્રાલયે કહ્યું, ‘નાકામી છુપાવવા આવા નિવેદનો’
Iran Conflict Casualty Update ઈરાન સંઘર્ષમાં ભારતીયો પર મોટું સંકટ; મૃતક ભારતીયોની સંખ્યા ૨૫ પર પહોંચી
Exit mobile version