Site icon News Continuous Bureau | Mumbai

બોલો હવે શું કહેશો? ઇમરાન વડાપ્રધાન પદેથી ઉતર્યા કે તરત જ 100 સાંસદોએ રાજીનામા ધરી દીધાં. જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)દેશના 23મા વડા પ્રધાન (PM) તરીકે બિનહરીફ ચૂંટ્યા અને દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો પણ અંત આવ્યો.

Join Our WhatsApp Channel

ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ વડાપ્રધાનની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 

આ સાથે ઈમરાનની પાર્ટીના 100થી વધુ સાંસદોએ પણ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી દીધું છે. 

હવે સામૂહિક રાજીનામા પછી, 342 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીની 100 થી વધુ બેઠકો માટે નવી પેટાચૂંટણીની જરૂર વર્તાશે.

પૂર્વ વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ (Shah Mahmood Qureshi) તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફને વોટિંગ અને સંસદમાં વોકઆઉટમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ ઈમરાન ખાનને હટાવવાના વિરોધમાં લાહોરના લિબર્ટી ચોક ખાતે વિરોધ રેલી કાઢી હતી.

આ સમાચાર પણ વાંચો :  પાકિસ્તાનમાં આંતરિક કિન્નાખોરી યથાવત. વડાપ્રધાન પદેથી ઉતરતાની સાથે ઇમરાન ખાન સામે આ પગલા લેવાયા.

Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
US Strategic Preparedness and Geopolitical Tensions ઈરાન સાથેના કરાર બાદ અમેરિકાની નવી રણનીતિ શું ક્યુબા, કોલંબિયા અને પેરુ સાથે સંઘર્ષના એંધાણ?
Pakistan Air Force Jet Crash પાકિસ્તાનમાં ગમખ્વાર વિમાન દુર્ઘટના એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થતા બંને પાઈલટોના મોત
Ben Gvir on Trump Deal શાંતિ સમજૂતી પર ઇઝરાયેલનું આકરું વલણ ‘ટ્રમ્પનો કરાર અમારા પર લાગુ પડતો નથી’, બેન ગ્વીરનું નિવેદન
Exit mobile version