Site icon

Nepal: નેપાળમાં 4% વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિંદુ નગર ગામનું નામ બદલીને હવે મોહમ્મદ નગર કર્યું, ત્રણ હિંદુ યુવકોને માર પણ માર્યો..

Nepal: પાડોશી દેશ નેપાળમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે જ્યાં તેઓ લઘુમતીમાં છે ત્યાં પણ તેઓ હિંદુ ધર્મનું અપમાન કરી રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ રૌતહાટ જિલ્લાના એક ગામમાં જોવા મળ્યું હતું. જ્યાં મુસ્લિમોએ હિંદુ નગરનું નામ બદલીને મોહમ્મદ નગર રાખી દીધું હતું.

Muslims who make up 4% of the population in Nepal changed the name of Hindu Nagar village to Mohammad Nagar, also beat up three Hindu youths

Muslims who make up 4% of the population in Nepal changed the name of Hindu Nagar village to Mohammad Nagar, also beat up three Hindu youths

News Continuous Bureau | Mumbai

Nepal: નેપાળના રૌતહાટ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવની એક ઘટના સામે આવી છે. એક અઠવાડિયા પહેલા મુસ્લિમોએ ( Muslims ) અહીંના એક ગામનું હિંદુ નગરથી ( Hindu Nagar ) બદલીને મોહમ્મદ નગર રાખી દીધું હતું. આ માટે ચોક પર એક બોર્ડ પણ લગાડવામાં આવ્યું હતું. હિંદુઓને આ વાતની જાણ થતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને આ બોર્ડને દૂર કર્યું હતું. આ ઘટના બાદ મુસ્લિમોએ હિંદુ સમુદાયના કેટલાક યુવકોને માર માર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના 23 જૂને બની હોવાનું કહેવાય છે. આ મામલો રૌતહાટ જિલ્લાના ગરુડા મ્યુનિસિપલ વોર્ડ નંબર 6 સાથે સંબંધિત છે. એક અઠવાડિયા પહેલા અહીંના પોથીયાહી ગામમાં એક ચોકડી પર મુસ્લિમ સમુદાયના લોકોએ હિંદુ નગરનું નામ બદલીને  મોહમ્મદ નગરનું બેનર લગાવ્યું હતું. આ બેનરને લીલો રંગ આપવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

બેનર પર અરબી અને ઉર્દૂમાં ઘણા શબ્દો લખેલા હતા. બેનરની બંને બાજુ ઇસ્લામિક ધર્મસ્થાનોના ચિત્રો પણ છાપવામાં આવ્યા હતા. એક વૃદ્ધ મુસ્લિમે અહીં ઊભા રહીને સેલ્ફી પણ લીધી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે સ્થાનિક મુસ્લિમો પણ આ જગ્યાને મોહમ્મદ નગર કહેવા લાગ્યા હતા. ઘટનાના દિવસે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પણ મુસ્લિમો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી હિન્દુ પક્ષે નેપાળ પ્રશાસન પર મુસ્લિમોને ખુશ કરવાનો આરોપ લગાવ્યો છે. નેપાળમાં હિન્દુ સમ્રાટ સેનાના ( Hindu Samrat Sena nepal  ) રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ યાદવે કહ્યું કે પોથીયાહી ગામમાં મુસ્લિમોના માત્ર 10 ઘર જ છે. તેથી ચિંતાની કોઈ જરુર નથી.

આ સમાચાર પણ વાંચો: Mumbai: બોરીવલી – થાણે સબવે માટે માર્ગ બન્યો મોકળો, આ પ્રોજેક્ટ માટે હવે આદિવાસીઓ અને વનવાસીઓને કોઈ વાંધો કે દાવો નથી.. જાણો વિગતે.

Nepal: 23 જૂને, હિન્દુ સમ્રાટ સેનાના સભ્યોએ સ્થાનિક રહેવાસીઓ સાથે મોહમ્મદ નગરમાં લગાવેલ બેનર હટાવી દીધું હતું…

23 જૂને, હિન્દુ સમ્રાટ સેનાના સભ્યોએ સ્થાનિક રહેવાસીઓ સાથે મોહમ્મદ નગરમાં લગાવેલ બેનર હટાવી દીધું હતું.  તેમણે કહ્યું કે તે સમયે મુસ્લિમ પક્ષના લોકો ચૂપ હતા, પરંતુ આંતરિક રીતે તેઓ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. 25 જૂનની રાત્રે ત્રણ હિંદુ યુવક ચોક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન લગભગ એક ડઝન જેટલા મુસ્લિમોએ તેમને ઘેરી લીધા હતા અને પહેલા તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને પછી તેમને માર માર્યો હતો. તેમજ તેમના પર ઇસ્લામ નગર બોર્ડને ( Mohammed Nagar )  ઉખેડી ફેંકવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ હુમલામાં હિન્દુ ( Hindus ) સમાજના યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

આ હુમલાના સમાચાર બહાર આવતા જ આસપાસના હિંદુઓ ગુસ્સે થઈ ગયા હતા. હિંદુઓએ એક થઈને આ હુમલાનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ મામલાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં હિન્દુ પક્ષનો આરોપ હતો કે, પોલીસે મુસ્લિમ હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી કરી નથી. એટલું જ નહીં, હુમલો કરનારા મુસ્લિમ પરિવારોને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. તેથી હાલ હિંદુઓમાં પ્રશાસન પ્રત્યે રોષ ફેલાયેલો છે.

આ સમાચાર પણ વાંચો:  New Criminal Laws: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ પર પત્રકાર પરિષદ યોજી, આ કાયદાઓને પીડિત-કેન્દ્રિત અને ન્યાયલક્ષી ગણાવ્યા

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version