Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ, ઈમરાનખાન સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે.

શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની પ્રતિમાને લાહોર કિલ્લામાં પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (ટીએલપી)ના એક કાર્યકર્તાએ તોડફોડ કરી હતી. 

હુમલાખોરોએ હાથથી પ્રતિમાના પગ અને બીજો હિસ્સો તોડી નાંખ્યો હતો. 

જોકે હુમલાખોરો વધારે નુકસાન પહોંચાડે તે પહેલા બીજા લોકોએ આવીને તેમને રોકી લીધા હતા.  

લાહોર કિલ્લાના વહીવટીતંત્રએ પણ આરોપી સામે કડક પગલું ભરવાનું કહ્યું છે. રણજીતસિંહની પ્રતિમાને તોડવાની ઘટનાને ભારત સરકારે વખોડી કાઢી છે અને આવા હુમલા રોકવામાં પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી છે.

ઑનલાઇન શિક્ષણની આડઅસર, દેશના 53 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર

Legal Clash Over Hormuz: હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન વચ્ચે કાયદાકીય જંગ: મધદરિયે નિયમોની લડાઈમાં તેલ પુરવઠો જોખમમાં, વૈશ્વિક બજારમાં ફફડાટ!
Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!
Iran-US War: ઈરાન-અમેરિકા સંકટ વચ્ચે ભારત બન્યું ‘શાંતિ દૂત’: સર્જિયો ગોરના નિવેદનથી વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો
Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
Exit mobile version