Site icon News Continuous Bureau | Mumbai

ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.

નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. 

1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે  ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.

 

BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Saudi Oil Pipeline Suspended વૈશ્વિક બજારમાં મોટો ખતરો સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથી વિદ્રોહીઓનો કબજો
Pakistan BRICS Membership Bid બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાનની દોડધામ સભ્યપદ મેળવવા સત્તાવાર અરજી કરી, હવે ભારતની મંજૂરી પર નજર
US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Exit mobile version