Site icon News Continuous Bureau | Mumbai

ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.

નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. 

1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે  ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.

 

Chinese J 20 Stealth Jets Deployed એલએસી પાસે ડ્રેગનની હિલચાલ, ચીને સરહદ નજીક ૧૨ ફાઈટર જેટ્સ ગોઠવીને વધાર્યો તણાવ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ.
China artificial sun energy revolution ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી? જાણો
Dubai job offers for Iranians મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા ખાડી દેશોનો મોટો દાવ, ૨૦ હજાર ઈરાની યુવાનોને રોજગારી અને અબજો ડોલરની આર્થિક સહાયની ઓફર કરી.
Congo Ebola outbreak કોંગોમાં ઈબોલા વાયરસનો પ્રકોપ વધતા હાહાકાર, લાખો લોકો પર ગંભીર ખાદ્ય સંકટ
Exit mobile version