Site icon News Continuous Bureau | Mumbai

ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.

નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. 

1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે  ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.

 

Legal Clash Over Hormuz: હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન વચ્ચે કાયદાકીય જંગ: મધદરિયે નિયમોની લડાઈમાં તેલ પુરવઠો જોખમમાં, વૈશ્વિક બજારમાં ફફડાટ!
Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!
Iran-US War: ઈરાન-અમેરિકા સંકટ વચ્ચે ભારત બન્યું ‘શાંતિ દૂત’: સર્જિયો ગોરના નિવેદનથી વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો
Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
Exit mobile version