Site icon News Continuous Bureau | Mumbai

ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.

નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. 

1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે  ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.

 

US Iran Tensions Elon Musk એલોન મસ્કના બિઝનેસ સામ્રાજ્ય પર ઇરાનનો ડોળો, સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્કને સૈન્ય લિસ્ટમાં પછાડ્યું
US Iran War Update હોર્મુઝની સામુદ્રધુનીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઇરાને આપી પરમાણુ યુદ્ધ જેવી કડક ચેતવણી!
India Pak Border AntiDrone Wall ભારતપાકિસ્તાન સરહદ પર બનશે ‘એન્ટીડ્રોન દીવાલ’; ઘૂસણખોરી રોકવા માટે સરકારનો મેગા એક્શન પ્લાન તૈયાર
Strait of Hormuz Blockade વૈશ્વિક વેપાર પર મોટું સંકટ, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરી, આજે એકપણ જહાજ પસાર થયું નથી
Exit mobile version