Site icon

નેપાળ મોડે મોડે પણ સમજયું ખરું.. ભારતની ડિપ્લોમસી રંગ લાવી.. વાંચો કયો છે એ મુદ્દો.. વાંચો વિગતવાર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
27 નવેમ્બર 2020 

સદીઓથી રોટી-બેટીનો વ્યવહાર ધરાવતા પાડોશી દેશ નેપાળમાં નવા વડાપ્રધાન ઓલિના આવ્યાં બાદ સંબંધો વણસી ગયા હતાં. પરંતુ હવે, નેપાળ અને ભારત, સરહદના પ્રશ્નોના સમાધાન માટે સંમત થયા છે, પરંતુ બંને દેશોએ સરહદનો કયા ભાગ અંગે સમજુતી થશે તે જાહેર કર્યું નથી.  

Join Our WhatsApp Community

સવારે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાની કાઠમંડુની મુલાકાત દરમિયાન બંને પક્ષના ઉચ્ચ અધિકારીઓએ સરહદના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને વિવાદના સમાધાન માટે અભિપ્રાયની આપ-લે કરી હતી. 

નોંધનીય છે કે, સુસ્તા અને કલાપાનીમાં નેપાળ અને ભારત વચ્ચે કેટલાક જૂના સરહદ વિવાદો છે અને બોર્ડર વર્કિંગ ગ્રૂપ નામની મિકેનિઝમ 2014 થી તેને હલ કરવાના પ્રયાસ કરી રહી છે. 

નવેમ્બર 2019 માં નવી દિલ્હી દ્વારા એક નકશો પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેના પગલે બંને પડોશીઓ વચ્ચેનો નવો સરહદ વિવાદ પ્રકાશમાં આવ્યો હતો.
ભારતીય નિર્ણયના વિરોધમાં, નેપાળે આ વર્ષે મે મહિનામાં એક નવો રાજકીય નકશો રજૂ કર્યો, જેમાં ભારતની કેકટલીક જમીન તેના ક્ષેત્ર હેઠળ બતાવી હતી. આનાથી દ્વિપક્ષીય સંબંધો વણસી ગયા. 

નેપાળી પક્ષે સરહદ પાર સરળતાથી વેપાર અને વાણિજ્ય સુનિશ્ચિત કરવામાં અને વિકાસ યોજનાઓના સક્રિય અમલીકરણમાં ભારત સરકાર જે મદદ કરી રહ્યું છે તેની પ્રશંસા કરી.

Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત
China Internet Censorship: ચીનનું ‘નકારાત્મક ભાવનાઓ’ સામે અભિયાન શરૂ; સાયબરસ્પેસ પ્રશાસન દ્વારા આટલા મહિના માટે ‘ખરાબ વાઇબ્સ’ પર કડક કાર્યવાહી
Donald Trump Narcissism: શું ડોનાલ્ડ ટ્રમ્પ ‘આત્મમુગ્ધતા’ ના શિકાર છે? જાણો નિષ્ણાતોનું શું છે કહેવું
Shahbaz Sharif United Nations: સંયુક્ત રાષ્ટ્ર માં ભારતે પાકને બરાબરનું ધોઈ નાખ્યું, પેટલ ગહલોતે આ વાક્ય નો ઉપયોગ કરી આતંકવાદ પરના દંભને ખુલ્લો પાડ્યો
Exit mobile version