Site icon

અહો આશ્ચર્યમ્ !! નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલીના બદલાયા સુર, રૉ ચીફને મળ્યા બાદ ટ્વિટ કર્યો જૂનો નકશો.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

ચીનને કારણે પોતાના દેશમાં ઘેરાયેલ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતીય ગુપ્તચર એજન્સી આરએડબલ્યુ (RAW) ના વડાને મળ્યા બાદ કાઠમંડુ સૂર બદલી રહયું હોય તેવું લાગે છે. નેપાળી વડાપ્રધાન એ વિજયાદશમીની શુભેચ્છા આપતું ટ્વીટ કર્યું છે તેમાં તેમણે નેપાળના જૂના નકશાનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, નેપાળ અને ભારત વચ્ચેના તાજેતરના વિવાદનું મૂળ એ નેપાળનો નવો નકશો છે જેમાં નેપાળે ભારતીય પ્રદેશો પોતાના હોવાનો દાવો કર્યો છે.

Join Our WhatsApp Community

 

ભારત-નેપાળ સરહદ વિવાદ અંગે ભારતે કડક વલણ અપનાવ્યું  છે. સંશોધન અને વિશ્લેષણ વિંગ (આરએડબ્લ્યુ) ના વડા સામંત કુમાર ગોયલને મળ્યા બાદ ઓલિના સુર બદલાયા છે. એટલું જ નહીં, ભારતીય સેનાના ચીફ જનરલ નરવણે પણ આવતા મહિને નેપાળની મુલાકાતે જનાર છે.

ઉપરોક્ત મુલાકાત બાદ નેપાળના શાસક પક્ષના ઘણા નેતાઓએ પીએમ ઓલી પર રાજદ્વારી નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. નેપાળની શાસક સામ્યવાદી પાર્ટીના નેતા ભીમ રાવલે કહ્યું કે, રૉ ચીફ ગોયલ અને વડા પ્રધાન ઓલી વચ્ચેની મુલાકાત રાજદ્વારી નિયમોની વિરુધ્ધ હતી અને તે નેપાળના રાષ્ટ્રીય હિતોને જોખમમાં મૂકનારી છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version