Site icon

કાબુલ ગુરુદ્વારા પર આતંકવાદી હુમલાની તપાસ અદ્ધરતાલ, એનઆઈએ ટીમનો અફઘાનિસ્તાન દોરો આ કારણે ‘અનિશ્ચિત સમય’ માટે રદ્દ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોવાથી, ગયા વર્ષે કાબુલના ગુરુદ્વારા પર થયેલા આતંકી હુમલાની તપાસ અટકી ગઈ છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ કેસમાં FIR નોંધીને તપાસ શરૂ કરી હતી અને તેની ટીમ આ સંબંધમાં નવેમ્બરમાં કાબુલ પણ ગઈ હતી, પરંતુ બદલાયેલા સંજોગોમાં તપાસ આગળ વધવાની સંભાવનાઓ ધૂંધળી થઈ ગઈ છે. 

એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કાબુલ ગુરુદ્વારાની તપાસ સાચી દિશામાં ચાલી રહી છે, ગયા વર્ષે નવેમ્બરમાં કાબુલની મુલાકાત દરમિયાન એનઆઈએની ટીમે આ સંદર્ભે મહત્વની માહિતી અને પુરાવા એકત્ર કર્યા હતા. 

હુમલામાં સંડોવાયેલા માર્યા ગયેલા આતંકવાદીનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તે અફઘાનિસ્તાનનો નાગરિક હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ હવે અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે, તેથી ત્યાં તપાસ આગળ વધારવી શક્ય નહીં હોય.

વિદેશી ધરતી પર આતંકવાદી હુમલાની તપાસનો આ પહેલો કેસ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 25 માર્ચે કાબુલના ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 27 લોકો માર્યા ગયા હતા. તેમાંથી ઘણા ભારતીય નાગરિકો હતા.  

હવે તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડો! ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી ગયા પણ ભારતમાં ભાવ ઠેરનાં ઠેર ; જાણો અત્યાર સુધીમાં કેટલું મોંઘું થયું ઇંધણ 
 

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version