Site icon News Continuous Bureau | Mumbai

હેપેટાઇટિસ-સી વાયરસની દવા શોધનાર આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો નોબલ પુરસ્કાર… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ઓક્ટોબર 2020

સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષનો નોબલ પ્રાઇઝ હાર્વે અલ્ટર, માઇકલ હોઉગટન અને ચાર્લ્સ રાઇસને આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોને હેપિટાઇટીસ સી વાયરસની શોધ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. દરમિયાન નોબલ એવોર્ડ આપનારી સંસ્થાએ કહ્યું છે કે આ વર્ષે આ એવોર્ડ લોહીમાંથી જન્મતા હેપિટાઇટિસ સામેની લડાઇમાં યોગદાન આપવા માટે ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. સંસ્થાએ આગળ કહ્યું હતું કે હેપિટાઇટિસથી દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોને સિરોસીસ અને લીવર કેન્સર થાય છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ એક નોવલ વાયરસની શોધમાં મૂળભૂત સંશોધન કર્યું હતું જેનાથી હેપિટાઇટિસ સીની ઓળખ થઇ શકી હતી .

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે વિશ્વમાં 7 કરોડ હિપેટાઇટિસના કેસ છે અને દર વર્ષે આ રોગને કારણે 4 કરોડ લોકો મૃત્યુ પામે છે. આ રોગને ક્રોનિક રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે યકૃતના રોગો અને કેન્સરનું મુખ્ય કારણ છે. આ વર્ષે, કોરોના ચેપને કારણે, તબીબી ક્ષેત્રે આપવામાં આવેલા નોબેલ પુરસ્કારનું વિશેષ મહત્વ છે. કોરોના ચેપથી વિશ્વના તબીબી ક્ષેત્રમાં સંશોધનનું મહત્વ નિશ્ચિત છે.

નોંધનીય છે કે દર વર્ષે 12 ઓક્ટોબર સુધી 6 ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.  જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ નોબેલ પ્રાઇઝમાં 10 કરોડ સ્વીડિશ ક્રોનોર અને ગોલ્ડ મેડલ અપાય છે. આ એવોર્ડ સ્વિડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલની યાદમાં આપવામાં આવે  છે, જેમણે 124 વર્ષ પહેલાં એક ભંડોળ બનાવ્યું હતું, આ ભંડોળમાંથી આ એવોર્ડ વિશ્વની મહત્વપૂર્ણ શોધો માટે આપવામાં આવે છે.

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version