Site icon News Continuous Bureau | Mumbai

Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર

Gold smuggling: કુખ્યાત દાણચોર ચૂડામણી ઉપ્રેતી ઉર્ફે ગોરે જેન ઝી આંદોલનકારીઓના વિરોધ દરમિયાન જેલમાંથી પલાયન થયો, ૩,૩૦૦ થી વધુ કેદીઓ થયા ફરાર.

નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર

નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર

News Continuous Bureau | Mumbai

નેપાળના સુનારા ખાતે આવેલી કેન્દ્રીય જેલમાંથી સોનાની દાણચોરીના કેસનો કુખ્યાત સૂત્રધાર ચૂડામણી ઉપ્રેતી ઉર્ફે ગોરે ફરાર થઈ ગયો છે. નેપાળમાં જેન ઝી આંદોલનકારીઓના વિરોધ પ્રદર્શનો વધ્યા બાદ કેદીઓએ જેલમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. આ અફરાતફરીનો ફાયદો ઉઠાવીને કેદીઓ ભાગવા લાગ્યા. માત્ર સુનારા જેલમાંથી જ લગભગ ૩,૩૦૦ કેદીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. આ ઘટનાથી નેપાળની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Join Our WhatsApp Channel

જેલ તોડફોડ અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા

નેપાળની જેલમાં કુલ ૩,૮૦૦ કેદીઓમાંથી માત્ર ૫૦૦ કેદીઓ જ પાછળ રહ્યા હતા. કેટલાક ફરાર થયેલા કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા છે, જ્યારે કેટલાક પાછા ફરવાની પ્રક્રિયામાં હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, નાખ્ખુ જેલમાંથી બહાર આવેલા કેદીઓએ રાત્રે લગભગ ૧૦ વાગ્યે સુનારા જેલમાં તોડફોડ શરૂ કરી હતી. આ પછી સુરક્ષા માટે તૈનાત નેપાળ પોલીસ સેનાના મુખ્યાલય તરફ ભાગી ગઈ હતી. નેપાળી સૈન્ય જ્યારે જેલ પર પહોંચ્યું, ત્યારે ૩,૩૦૦ થી વધુ કેદીઓ ભાગી ગયા હતા. આ ઘટનાએ જેલ અને સુરક્ષા વિભાગની મોટી નિષ્ફળતા દર્શાવી છે.

આ સમાચાર પણ વાંચો : Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો

ગોરેનો ભૂતકાળ અને ૩,૮૦૦ કિલો સોનાની દાણચોરીનો મામલો

સુનારા જેલમાંથી ભાગી છૂટેલો ગોરે ૩,૮૦૦ કિલો સોનાની દાણચોરીના મોટા કેસમાં સંડોવાયેલો હતો. મોરંગના ઉરલાબારીના સનમ શાક્યની હત્યાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ દુબઈથી લાવવામાં આવેલું ૩૩.૫ કિલો સોનું ગુમ થઈ ગયું હતું. આ મામલામાં પોર્ટર તરીકે કામ કરતા શાક્યની હત્યા કરી દેવામાં આવી હતી. સોનાની દાણચોરીના કેસમાં જ કેટલાક પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાના આરોપો સામે આવ્યા હતા. ગૃહ મંત્રાલયે આ અંગે એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિના નિષ્કર્ષ મુજબ, ગોરેના જૂથે ૨૦૧૫ થી ૨૦૧૮ દરમિયાન ૩,૮૦૦ કિલો સોનાની દાણચોરી કરી હતી. આ કેસમાં ૯ પોલીસ અધિકારીઓ સહિત કુલ ૬૩ લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ એક પણ કિલો સોનું જપ્ત કરી શકાયું ન હતું.

 હત્યાના કેસમાં આજીવન કેદ અને જેલ બ્રેક

પોલીસ સોનું જપ્ત કરવામાં નિષ્ફળ રહી હોવાને કારણે મોરંગ જિલ્લા અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. જોકે, ૫ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ જજ ભરત લમસાલની ખંડપીઠે ગોરે અને અન્ય પાંચ લોકોને સનમ શાક્યની હત્યા માટે આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ ગોરેને જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના જેલ બ્રેક દરમિયાન તે ભાગી ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર આ સમગ્ર મામલાને ચર્ચામાં લાવી દીધો છે, અને હવે ગોરેને ફરીથી પકડવા માટે સુરક્ષા દળો સક્રિય થઈ ગયા છે.

Chabahar Port Significance ભારત માટે ચાબહાર કેમ છે આટલું મહત્વનું? સીઝફાયર પછી પહેલીવાર અમેરિકાનો હુમલો
Uranium Deal with Australia ભારતને પરમાણુ સંપન્ન ન ગણનાર ઓસ્ટ્રેલિયા સાથે યુરેનિયમ ડીલ! પીએમ મોદીની શા માટે આ મોટી કૂટનીતિક જીત છે?
Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
Donald Trump’s Security Claim ‘હું ઈરાનની દરેક હિટ લિસ્ટમાં ટોચે’, યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનીખેજ દાવો, હત્યાનું કાવતરું રચાયાનો આરોપ
Exit mobile version