Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોન વાયરસનું નિદાન સરળ પણ તેના પ્રસારને નિયંત્રણમાં મૂકવું અઘરું; જાણો વૈજ્ઞાનિકો શું કહે છે આ વાયરસ વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા ઓમિક્રોન વાયરસ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. જોકે વૈજ્ઞાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે દર્દીના શરીરમાં કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ સરળતાથી શોધી શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે RT-PCR ટેસ્ટમાં વાયરસ સરળતાથી શોધી શકાય છે પરંતુ, તપાસમાં એવી શંકા પણ સામે આવી છે કે ઓમિક્રોન ડેલ્ટા વાયરસ કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

 

ઓમિક્રોન વાયરસમાં આનુવંશિક ઘટક 'એસ' જોવા મળતું નથી, જે તપાસ પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. તેથી અમેરિકામાં ઓમિક્રોનની શોધ માટે વેગથી કોરોના ટેસ્ટ શરૂ છે. જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઓમિક્રોનથી મૃત્યુઆંક કેટલો વધશે તેની ચોક્ક્સ માહિતી મળવાની હજુ બાકી છે.

સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ; લોકસભા આટલા વાગ્યા સુધી સ્થગિત
 

દર્દીના નાકના પ્રવાહી (મ્યુકસ)ને નળી દ્વારા લેવામાં આવે છે. આ પ્રવાહી (સ્ક્લેમા) ચોક્કસ રાસાયણિક પદાર્થમાં નાખવામાં આવે છે. આખી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 12 કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયા પછી દર્દી કોરોનાગ્રસ્ત છે કે નહીં તે સમજી શકાય છે. PCR મશીનમાં મ્યુકસને ચોક્કસ રસાયણમાં નાખ્યા પછી 'S' નામનો આનુવંશિક ઘટક દેખાતો નથી. આનુવંશિક પરિબળ મળ્યા પછી ડેલ્ટા વાયરસનું નિદાન થાય છે. S આનુવંશિક પરિબળની ગેરહાજરીને લીધે, સ્ક્રીનીંગ પ્રક્રિયા વહેલી પૂરી થાય છે અને દર્દીની કોરોનાગ્રસ્ત હોવાનું ટેસ્ટમાં નિદાન થાય ત્યારે ઓમિક્રોન વાયરસનો ચેપ લાગ્યો છે. તેની જાણ થાય છે.

ભારતમાં ઓમિક્રોન વાયરસની અસર વિશેનો અભ્યાસ શરૂ છે. નેશનલ ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય ડો.રાહુલ પંડિતે મીડિયાને સમજાવ્યું કે આ અભ્યાસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર વાયરસની શું અસર થાય છે. તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડેલ્ટા વાયરસની ઝડપ પ્રથમ કોરોના વાયરસની ઝડપ કરતા બમણી હતી, પરંતુ ઓમિક્રોન ડેલ્ટા કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version