Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોક્યું; 350% ટેરિફ લગાવવાની આપી હતી ધમકી.

Trump Boasts Again: Claims Stopping 8 Wars in 10 Months via 'Tariffs' Despite Rising Inflation

Trump Boasts Again: Claims Stopping 8 Wars in 10 Months via 'Tariffs' Despite Rising Inflation

News Continuous Bureau | Mumbai

Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને શાંત પાડ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે તેમણે બંને દેશો પર 350 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી, જેના કારણે બંને દેશો વચ્ચેની લડાઈ અટકી ગઈ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે ‘અમે યુદ્ધ નહીં કરીએ’. જોકે, ભારતે આ મામલે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશે મધ્યસ્થી કરી નથી. આશ્ચર્યની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીમાં 60થી વધુ વખત આ દાવો દોહરાવી ચૂક્યા છે.

Join Our WhatsApp Channel

ટ્રમ્પે દાવો ફરી દોહરાવ્યો

બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “હું ઝઘડાઓ ઉકેલવામાં સારો છું અને હંમેશાથી રહ્યો છું. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલા પણ ઘણું સારું કામ કર્યું છે.” તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન, જે પરમાણુ સંપન્ન દેશો છે, તેઓ અંદરોઅંદર લડાઈ કરવાના હતા, પરંતુ મેં બંને વચ્ચે સમાધાન કરાવ્યું. ટ્રમ્પે યુએસ-સઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા કહ્યું કે તેમણે બંને ન્યુક્લિયર-આર્મ્ડ પડોશીઓને કહ્યું હતું કે તેઓ લડી શકે છે, પરંતુ તે દરેક દેશ પર 350% ટેરિફ લગાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ હાજર હતા.

ટેરિફનો ઉપયોગ યુદ્ધ ઉકેલવા માટે કર્યો’

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે “કોઈપણ દેશનો કોઈ રાષ્ટ્રપતિ આવું કરતો નથી.” તેમણે દાવો કર્યો કે “મેં આ તમામ યુદ્ધોને ઉકેલવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે વિશ્વના આઠ યુદ્ધોમાંથી પાંચ યુદ્ધ ટેરિફના કારણે ઉકેલવામાં આવ્યા હતા. જોકે, ભારતે સતત ટ્રમ્પના કોઈપણ મધ્યસ્થીના દખલનો ઇનકાર કર્યો છે. ભારત તરફથી ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશે મધ્યસ્થી કરી નથી.

આ સમાચાર પણ વાંચો : Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન

સતત 60થી વધુ વખત કર્યો છે દાવો

નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 10 મે પછીથી જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરતા આવ્યા છે કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટનની મધ્યસ્થીમાં થયેલી લાંબી વાતચીત બાદ તરત જ સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા હતા. તેમણે 60થી વધુ વખત આ દાવો દોહરાવ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને સમાપ્ત કરવામાં મદદ કરી હતી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

Iran Attack UAE Oil Tanker યુદ્ધની આગમાં ભારતીયનું બલિદાન, હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના ઓઈલ ટેન્કર પર હુમલો, એક ભારતીયનું મોત.
Yemen Sanaa Airport Attack ઈરાનઅમેરિકા જંગની આગ યમન સુધી પહોંચી, સાઉદીનો રનવે પર પ્રહાર, હૂતીઓનો ‘બદલા’નો હુંકાર.
IranUS Conflict Escalation ઈરાનના પાંચ પોર્ટ પર તબાહી, વળતા જવાબમાં 4 દેશોમાં અમેરિકાને પહોંચાડ્યું મોટું નુકસાન!
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Exit mobile version