Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન: ભૂતપૂર્વ PM ઇમરાન ખાન વિરુદ્ધ હવે આતંકવાદનો કેસ નોંધાયો, પોલીસે જપ્ત કર્યો હથિયારોનો જથ્થો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના લગભગ એક ડઝન નેતાઓ વિરુદ્ધ આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો છે

Pak Police Files Terrorism Case Against Ex-PM Imran Khan

પાકિસ્તાન: ભૂતપૂર્વ PM ઇમરાન ખાન વિરુદ્ધ હવે આતંકવાદનો કેસ નોંધાયો, પોલીસે જપ્ત કર્યો હથિયારોનો જથ્થો

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના લગભગ એક ડઝન નેતાઓ વિરુદ્ધ આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રવિવારે ઇમરાન ખાન વિરુદ્ધ ભ્રષ્ટાચાર ના કેસની સુનાવણી દરમિયાન તોડફોડ, સુરક્ષા કર્મચારીઓ પર હુમલો, કોર્ટ પરિસરની બહાર હોબાળો મચાવવાના આરોપમાં આતંકવાદ નિવારણ અધિનિયમ ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. તે જ સમયે, પોલીસે દાવો કર્યો છે કે તેમને ઇમરાન ખાનના ઘરેથી હથિયારોનો જથ્થો મળ્યો છે. ઇમરાનના ઘરેથી AK-47, પેટ્રોલ બોમ્બ સહીત સેંકડો ગોળીઓ મળી આવી છે.

ઇમરાન ખાન તોશખાના કેસની બહુ પ્રતિક્ષિત સુનાવણીમાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ આવ્યા હતા અને તે દરમિયાન ઇસ્લામાબાદ ન્યાયિક સંકુલની બહાર તેમના સમર્થકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. શનિવારે પીટીઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન 25 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેના પગલે વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઝફર ઈકબાલે સુનાવણી 30 માર્ચ સુધી મુલતવી રાખી હતી.

Join Our WhatsApp Channel

માહિતી અનુસાર, ઇસ્લામાબાદ પોલીસે પીટીઆઈ કાર્યકરો અને વોન્ટેડ નેતાઓ વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઇઆરમાં પીટીઆઈના 17 નેતાઓના નામ છે. આરોપ છે કે ઇમરાનના સમર્થકોએ પોલીસ ચેક પોસ્ટ અને ન્યાયિક સંકુલના મુખ્ય દરવાજાને તોડી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આગચંપી, પથ્થરમારો અને ન્યાયિક સંકુલની ઇમારતને નુકસાન પહોંચાડવાના આરોપમાં 18 લોકોની અટકાયત કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ, અથડામણ દરમિયાન પોલીસના બે વાહનો અને સાત મોટરસાઈકલને સળગાવી દેવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના સત્તાવાર વાહનને નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…

ઇમરાન ખાન કોર્ટમાં હાજર થયા હતા

ઇમરાન ખાન રવિવારે કોર્ટમાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ આવ્યા હતા. કાફલામાં તેમની સાથે તેમના સમર્થકો પણ હતા. પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ રવિવારે કહ્યું કે પાર્ટી ઇમરાનના નિવાસસ્થાને ગેર કાયદેસર કાર્યવાહી અને હિંસામાં સામેલ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરશે. તેમણે ટ્વીટ કર્યું, ‘આજે પાર્ટીની લીગલ ટીમની મિટિંગ બોલાવવામાં આવી છે. પોલીસે જે રીતે લાહોર હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો અને ઇમરાન ખાનના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો, તેમણે ઘરની પ્રાકૃતિકતા જાળવવાના તમામ નિયમો તોડી નાખ્યા. રહેઠાણમાંથી સામાન ચોરાઈ ગયો હતો અને તેઓ જ્યુસ બોક્સ પણ લઈ ગયા. નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો.’

શું છે સમગ્ર મામલો?

પીટીઆઈના વડા ઇમરાન ખાન અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (ADSJ) ઝફર ઇકબાલની કોર્ટમાં તેમની સંપત્તિ સાથે જોડાયેલી ઘોષણાઓમાં ભેટોની વિગતો કથિત રીતે દબાવવા બદલ પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહીમાં ભાગ લેવા માટે હાજર થવાનું હતું. વર્ષ 1974માં સ્થપાયેલ તોશખાના એ કેબિનેટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનો વિભાગ છે. તોશખાનામાં પાકિસ્તાની શાસકો, સંસદસભ્યો, અમલદારો અને અન્ય દેશોની સરકારોના અધિકારીઓ, રાજ્યોના વડાઓ અને વિદેશી મહાનુભાવોને મળેલી કિંમતી ભેટોનો સંગ્રહ કરવામાં આવે છે. ઇમરાન ખાનને ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે વેચાણની વિગતો શેર ન કરવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  રેસીપી / સાંજે આદુની ચા સાથે બનાવો સ્વાદિષ્ટ ‘પાલક-વટાણાના કટલેટ’, નોંધી લો રેસીપી

US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Middle East War August US Iran Conflict મિડલ ઈસ્ટ માટે અત્યંત નિર્ણાયક બનશે આ મહિનો, ઓગસ્ટમાં ઈરાનઅમેરિકા મહાયુદ્ધનો આવશે અંત?
Islamic NATO Announcement મક્કામાં રચાયું ‘ઈસ્લામિક નાટો’, પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે આ દેશોને પણ મળશે! ત્રણ મુસ્લિમ દેશોની ‘ત્રિપુટી’ એ સહી કર્યા દસ્તાવેજ!
Donald Trump Iran War Resolution શું ઈરાન શરણાગતિ સ્વીકારશે? ‘યુદ્ધનો અંત નજીક છે’ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી વિશ્વભરમાં ચર્ચા!
Exit mobile version