News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ હવે સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થતી જોવા મળી રહી છે.
પાકિસ્તાનામાં ચૂંટણીની માંગ સાથે ઈમરાન ખાને યોજેલી આઝાદી માર્ચમાં હિંસા થઈ છે.
પીટીઆઈ કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી અને ત્યાં એક મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી છે.
ઈમરાન ખાનની કૂચને રોકવા માટે પાકિસ્તાન સરકારે રેડ ઝોનમાં સેના પણ તૈનાત કરી છે.
દરમિયાન પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીનું કહેવું છે કે ઈમરાન ખાન સેન્ટૌરસ બ્રિજ પર સમર્થકોને સંબોધિત કરશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના આ દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાનના ઘરમાં ED ની રેડ, ધરપકડની શક્યતા.. જાણો વિગતે
