News Continuous Bureau | Mumbai
PM Modi Iran President Talk મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર ભારતની ઉર્જા સુરક્ષા પર પડી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું ભર્યું છે. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. 14 દિવસથી ચાલી રહેલા આ જંગ દરમિયાન બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ સીધો સંવાદ છે. આ ચર્ચામાં વડાપ્રધાને ભારતીય નાગરિકોની સુરક્ષા અને કાચા તેલ તેમજ કુદરતી ગેસના અવિરત પુરવઠા અંગે ભાર મૂક્યો હતો.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીતની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની ગંભીર પરિસ્થિતિ અંગે ઈરાની રાષ્ટ્રપતિ સાથે ઊંડી ચર્ચા થઈ છે. વધતો જતો તણાવ, નાગરિકોના જીવનું જોખમ અને પાયાની સુવિધાઓને થઈ રહેલા નુકસાન અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે અને વિવાદોનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા અપીલ કરી છે.
ભારતીય જહાજોની સુરક્ષા અને તેલ પુરવઠા પર ચર્ચા
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચેની આ ચર્ચાથી ભારતમાં સંભવિત તેલ અને ગેસ સંકટમાં મોટી રાહત મળવાની આશા છે. પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને તેલ અને અન્ય વસ્તુઓની હેરફેર કરતા ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. તાજેતરમાં ઈરાકમાં એક જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું, જે બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન જે રીતે ચીનના જહાજોને રસ્તો આપી રહ્યું છે, તેવી જ રીતે ભારતીય જહાજોને પણ આઈઆરજીસી (IRGC) ના હુમલાઓથી મુક્તિ મળી શકે છે.
હોર્મુઝની સામુદ્રધુની અને ઈરાનના નેતાની ચેતવણી
બીજી તરફ, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનીએ ગુરુવારે વિશ્વને સંબોધતા જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુની અત્યારે બંધ રહેશે. તેમણે આખાતી દેશોને ત્યાં આવેલા અમેરિકન સૈન્ય મથકો બંધ કરવા હાકલ કરી છે. આવી તણાવભરી સ્થિતિમાં જો ઈરાન ભારતને સમુદ્રી માર્ગે પરિવહનની છૂટ આપે, તો તે ભારત માટે બહુ મોટી સફળતા ગણાશે. ભારત અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત બેઠકો થઈ ચુકી છે, જે આ દિશામાં સકારાત્મક સંકેત છે.
Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region.
Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure.
The safety and security of…
— Narendra Modi (@narendramodi) March 12, 2026
આ સમાચાર પણ વાંચો : India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
ભારતના રાજદ્વારી પ્રયાસો અને શાંતિની અપીલ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાતચીત અત્યંત મહત્વના તબક્કે છે. ભારત તેની જરૂરિયાતનું 60% એલપીજી (LPG) આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો આ માર્ગે આવે છે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ‘સંવાદ અને રાજદ્વારી’ ના માર્ગ પર ભાર મૂક્યો છે. ભારતના આ સક્રિય વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની મધ્યસ્થી તરીકેની ભૂમિકાની ચર્ચા તેજ બની છે. હવે જોવાનું એ રહેશે કે આ વાતચીત બાદ ઈંધણના ભાવ અને પુરવઠામાં કેટલી ઝડપથી સુધારો આવે છે.
