Site icon News Continuous Bureau | Mumbai

જાપાનમાં અહિંસાનો લહેરાયો ઝંડો, વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં કર્યું મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

PM Modi unveils bust of Mahatma Gandhi in Japan's Hiroshima

જાપાનમાં અહિંસાનો લહેરાયો ઝંડો, વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં કર્યું મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

News Continuous Bureau | Mumbai

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ વર્ષે G7 સમિટનું આયોજન હિરોશિમામાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

Join Our WhatsApp Channel

અનાવરણ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર અને સંસદસભ્ય મહામહિમ શ્રી નકાતાની જનરલ; શ્રી કાઝુમી માત્સુઈ, હિરોશિમા શહેરના મેયર; શ્રી તાત્સુનોરી મોટાની, હિરોશિમા સિટી એસેમ્બલીના સ્પીકર; હિરોશિમાના સંસદ સભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ; ભારતીય સમુદાયના સભ્યો; અને જાપાનમાં મહાત્મા ગાંધીના અનુયાયીઓનો સમાવેશ થાય છે

19-21 મે 2023 દરમિયાન G-7 સમિટ માટે પ્રધાનમંત્રીની મુલાકાતના અવસર પર ભારત અને જાપાન વચ્ચે મિત્રતા અને સદ્ભાવના ના પ્રતીક તરીકે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા હિરોશિમા શહેરને ભેટમાં આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: ‘પાપાની પરીઓ’ વચ્ચે થઈ જોરદાર લડાઈ, લાતો-મુક્કા અને વાળની ખેંચાખેંચીનો વાયરલ થયો વીડિયો.. જુઓ વિડીયો…

42 ઇંચ લાંબી કાંસ્ય પ્રતિમા પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા શ્રી રામ વનજી સુતાર દ્વારા શિલ્પ કરવામાં આવી છે. બસ્ટ સાઇટ, મોટોયાસુ નદીને અડીને, આઇકોનિક એ-બોમ્બ ડોમની નજીક છે જેની દરરોજ હજારો લોકો – સ્થાનિકો અને પ્રવાસીઓ – સમાન રીતે મુલાકાત લે છે.

શાંતિ અને અહિંસા માટે એકતાના ચિહ્ન તરીકે સ્થાન પસંદ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીએ પોતાનું જીવન શાંતિ અને અહિંસાને સમર્પિત કર્યું હતું. આ સ્થાન ખરેખર ગાંધીજીના સિદ્ધાંતો અને જીવન સાથે પડઘો પાડે છે, જે વિશ્વ અને તેના નેતાઓને સતત પ્રેરણા આપે છે.

આ સમાચાર પણ વાંચો: Indian Car Industry: ‘આ’ વર્ષ સુધીમાં ભારત બનશે સૌથી મોટું કાર બજાર, ચીનને પણ છોડી દેશે પાછળ…

Ebola Outbreak in Congo। કાંગોમાં ઇબોલાનો હાહાકાર 321 લોકો સંક્રમિત, 48 ના મોત બાદ હેલ્થ ઇમરજન્સી જાહેર, વેક્સિન માટે ભારતીય કંપની સહિત 3 ગ્રૂપને મળ્યું મોટું ફંડ
US Tariff Cut। ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો, જાણો ભારતને ફાયદો થશે કે નહીં
USIran Crisis|ઈરાન સાથેના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ટૂંક સમયમાં થશે શાંતિ કરાર
Iowa Shooting। અમેરિકામાં સામૂહિક ગોળીબાર, એક જ પરિવારના ૭ લોકોના મોતથી ચકચાર
Exit mobile version