Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક! બાંગ્લાદેશનો પ્રવાસ શું ચૂંટણીના પરિણામ પર અસર કરશે?

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્યાંના મંદિરોમાં ફરીને પૂજા અર્ચન કરી રહ્યા છે.જેની સીધી અસર પશ્ચિમ બંગાળમાં ચાલતી ચૂંટણી પર થવાની છે.


   વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોની મુલાકાત લે તેવી નવી બાબત નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ જ્યારે જામ્યો છે,અને બરાબર એ જ સમયે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના કોઈ ચોક્કસ મંદિરની મુલાકાત લે એ બાબત નવાઈ પમાડે તેવી છે.વાત એમ છે કે બાંગ્લાદેશનુ એ મંદિર મતુઆ  સમુદાયની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. જ્યારે મતુઆ સમુદાયનો સીધો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 સીટો પર છે. જોકે ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટીંગ પણ થઈ ગયું છે.   ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી આડકતરી રીતે ચૂંટણીનો પ્રચાર પશ્ચિમ બંગાળમાં જઈને પણ કરી શકતા હતા. પરંતુ ત્યાં ચૂંટણી ના હિસાબે આચાર સંહિતા લાગુ છે. માટે જ ભાજપને વિજયી બનાવવા તેમણે બાંગ્લાદેશના પ્રવાસે જઈ ને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

Join Our WhatsApp Channel
Strait of Hormuz શું ટ્રમ્પના આ પગલાથી ઈરાન સાથે ભીષણ સંઘર્ષ ફાટી નીકળશે? હોર્મુઝ સ્ટ્રેટ અંગે જાણો મોટી વિગતો
Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Indus Waters Treaty Threat સિંધુ જળ સંધિ વિવાદમાં પાકિસ્તાનનો બફાટ; શહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની આપી ચેતવણી
Exit mobile version