Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક! બાંગ્લાદેશનો પ્રવાસ શું ચૂંટણીના પરિણામ પર અસર કરશે?

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્યાંના મંદિરોમાં ફરીને પૂજા અર્ચન કરી રહ્યા છે.જેની સીધી અસર પશ્ચિમ બંગાળમાં ચાલતી ચૂંટણી પર થવાની છે.


   વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોની મુલાકાત લે તેવી નવી બાબત નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ જ્યારે જામ્યો છે,અને બરાબર એ જ સમયે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના કોઈ ચોક્કસ મંદિરની મુલાકાત લે એ બાબત નવાઈ પમાડે તેવી છે.વાત એમ છે કે બાંગ્લાદેશનુ એ મંદિર મતુઆ  સમુદાયની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. જ્યારે મતુઆ સમુદાયનો સીધો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 સીટો પર છે. જોકે ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટીંગ પણ થઈ ગયું છે.   ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી આડકતરી રીતે ચૂંટણીનો પ્રચાર પશ્ચિમ બંગાળમાં જઈને પણ કરી શકતા હતા. પરંતુ ત્યાં ચૂંટણી ના હિસાબે આચાર સંહિતા લાગુ છે. માટે જ ભાજપને વિજયી બનાવવા તેમણે બાંગ્લાદેશના પ્રવાસે જઈ ને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

Join Our WhatsApp Channel
Middle East Crisis। મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા! ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ૩૦ દિવસની શાંતિનો આવ્યો અંત
Donald Trump Tariff| અમેરિકન કોર્ટની લપડાક! ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવતા ટ્રમ્પ બેકફૂટ પર, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર
US Iran Conflict। અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ
Exit mobile version