Site icon News Continuous Bureau | Mumbai

Narendra Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુઝફ્ફરપુર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, જો પાકિસ્તાને બંગડીઓ નહીં પહેરી હોય તો અમે તેને પહેરાવી દઈશું..

Narendra Modi: PM મોદી લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે બિહારના મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, ડાબેરીઓ માત્ર ભારતના પરમાણુ હથિયારોને ખતમ કરવા માંગે છે.

Prime Minister Narendra Modi hit out at Muzaffarpur Congress and said, if Pakistan does not wear bangles, we will make them wear them

Prime Minister Narendra Modi hit out at Muzaffarpur Congress and said, if Pakistan does not wear bangles, we will make them wear them

News Continuous Bureau | Mumbai

Narendra Modi: પીએમ નરેન્દ્ર મોદી 13 મેના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી રેલીને ( Election rally ) સંબોધિત કરી રહ્યા હતા. આ જ રેલીમાં તેમણે વિપક્ષના નેતાઓને કાયર ગણાવ્યા હતા અને કહ્યું કે તેઓ પાકિસ્તાનની પરમાણુ શક્તિથી ડરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન બંગડીઓ નથી પહેરતું તો અમે તેમને બંગડી પહેરાવી દેશું. 

Join Our WhatsApp Channel

વાસ્તવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ( Pakistan ) અધિકૃત કાશ્મીર (PoK) હવે જલ્દી જ ભારતમાં જોડાઈ જશે, PoKના લોકો પણ એવું જ ઈચ્છે છે. આ નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ જવાબ આપ્યો હતો કે જો રક્ષા મંત્રી આમ કહી રહ્યા છે તો તેમણે કરવું જોઈએ, કોણે રોક્યું છે? વધુમાં અબ્દુલ્લાએ એમ પણ કહ્યું હતું કે પણ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે પાકિસ્તાનને બંગડીઓ નથી પહેરી લીધી, તેમની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે તે પરમાણુ બોમ્બ ભારત પર પડી શકે છે.

 Narendra Modi: દેશને નબળી, ડરપોક અને અસ્થિર કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી

હવે આના પર વડાપ્રધાને જવાબ આપ્યો છે. કોઈનું નામ લીધા વિના તેણે કહ્યું કે, INDIA ગઠબંધનના ( INDIA coalition ) નેતાઓ તરફથી કેવા પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. આ લોકો એટલા ડરી ગયા છે કે તેઓ રાત્રે સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે. તેઓ કહે છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. અરે ભાઈ, અમે તેમને પહેરાવી દઈશું. પાકિસ્તાન પાસે હાલ પૂરતા પ્રમાણમાં અનાજનો ભંડાર નથી. વીજળી નથી. અમને ખબર ન હતી કે તેમની પાસે બંગડીઓ પણ નથી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ દેશની ચૂંટણી ( Lok sabha Election ) છે, જેમાં ભારતનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. દેશને નબળી, ડરપોક અને અસ્થિર કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી. વિપક્ષ પર આરોપ લગાવતા વડાપ્રધાને વધુમાં કહ્યું કે, મુંબઈ હુમલામાં કોઈ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે. કોઈ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવી રહ્યું છે. આ ડાબેરીઓ ભારતના પરમાણુ શસ્ત્રોને નષ્ટ કરવા માંગે છે. એવું લાગે છે કે INDIA ગઠબંધનના લોકોએ જ ભારત વિરુદ્ધ ષડયંત્ર શરૂ કર્યું છે. શું આવા સ્વાર્થી લોકો દેશની રક્ષા માટે આકરા નિર્ણય લઈ શકે છે?

આ સમાચાર પણ વાંચો : Chabahar Port: 21 વર્ષના પ્રયાસો બાદ ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાન વચ્ચે મહત્વની સમજૂતી, અમેરિકાએ આપી પ્રતિબંધોની ધમકી..

 Narendra Modi: મુઝફ્ફરપુર અને બિહારના લોકોએ દાયકાઓથી નક્સલવાદના ઘા સહન કર્યા છે…

મુઝફ્ફરપુર અને બિહારના લોકોએ દાયકાઓથી નક્સલવાદના ઘા સહન કર્યા છે. આરોપ છે કે અગાઉની સરકારોએ નક્સલવાદને પોષ્યો અને તેનો ઉપયોગ તમારા (સામાન્ય લોકો) વિરુદ્ધ પણ કર્યો. પરંતુ આ એનડીએ સરકાર જ છે, જે બિહારમાં કાયદો અને વ્યવસ્થા પાટા પર લાવી છે અને તેથી હવે નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓ પણ ઝડપથી ઘટી રહ્યા છે.

આ પહેલા વડાપ્રધાને ( Bihar ) બિહારના હાજીપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી હતી. અહીં પણ તેમણે વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, આ લોકોએ તમને લૂંટી લીધા છે અને નોકરીના બદલામાં જમીન પર સહી કરીને દિલ્હી અને દેશમાં સંપત્તિ બનાવી લીધી છે. હું તમને ખાતરી આપું છું કે જેણે ગરીબો પાસેથી જમીન છીનવી લીધી છે તે કાયદાથી બચી શકશે નહીં.

નોંધનીય છે કે, 20મી મેના રોજ પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં મુઝફ્ફરપુર, હાજીપુર, સારણ, મધુબની અને સીતામઢી લોકસભા સીટોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  State Bank Jobs : સ્ટેટ બેંકની મોટી જાહેરાત, આ નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક 15,000 લોકોની ભરતી કરશે..

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
Exit mobile version