Site icon News Continuous Bureau | Mumbai

Relief for India: ઈરાન-ભારત દોસ્તીની મિસાલ: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે રસ્તો સાફ, જાણો કયા 5 દેશોને મળી છૂટ.

Relief for India: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ નથી, માત્ર દુશ્મન દેશો માટે પ્રવેશબંધી; મિત્ર દેશોને સુરક્ષિત રસ્તો આપશે ઈરાન.

Relief for India Iran’s Foreign Minister Announces Safe Passage for Indian Ships Through Strait of Hormuz.

Relief for India Iran’s Foreign Minister Announces Safe Passage for Indian Ships Through Strait of Hormuz.

News Continuous Bureau | Mumbai

 મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, આ વ્યૂહાત્મક માર્ગ માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ કરવામાં આવ્યો છે. ઈરાની વિદેશ મંત્રીએ સરકારી ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાને સુરક્ષિત માર્ગ માટે ઈરાનનો સંપર્ક કર્યો હતો. આ દેશો સાથેના સમન્વય બાદ ઈરાની સેનાએ તેમના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા માટે મંજૂરી આપી દીધી છે. અરાઘચીએ ઉમેર્યું કે, ‘અમે અત્યારે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મનોને રસ્તો આપવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ મિત્ર દેશો માટે અમારા દ્વાર ખુલ્લા છે.’

Join Our WhatsApp Channel

અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીતનો ઈરાનનો ઈનકાર

અબ્બાસ અરાઘચીએ એક મહત્વપૂર્ણ ખુલાસો કરતા કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. મધ્યસ્થીઓ દ્વારા જે સંદેશાની આપ-લે થાય છે તેને કૂટનીતિ ન કહી શકાય. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા અલગ-અલગ માધ્યમોથી સંદેશાઓ મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને સત્તાવાર વાટાઘાટો માનતું નથી. ઈરાનનું કહેવું છે કે વોશિંગ્ટન આ સંઘર્ષમાં પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : India Energy Plan B: ઈરાન ભલે હોર્મુઝ બંધ કરે, ભારત પાસે છે ‘બ્રહ્માસ્ત્ર’: જાણો મોદી સરકારની શું છે આ ‘સ્પેશિયલ-41’ વ્યૂહરચના?

પોતાની શરતો પર જ યુદ્ધનો અંત લાવવાની જીદ

ઈરાની મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાન આ યુદ્ધને લાંબુ ખેંચવા માંગતું નથી, પરંતુ સમાધાન માત્ર તેમની શરતો પર જ થશે. ઈરાનની મુખ્ય શરતોમાં ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ સાબિત કરીને ઈરાને દુનિયાને બતાવી દીધું છે કે કોઈ પણ દેશ તેની સુરક્ષાને જોખમમાં મૂકી શકે તેમ નથી.

ભારતના બે જહાજો સુરક્ષિત રીતે પસાર થયા

વિદેશ મંત્રીએ માહિતી આપી હતી કે થોડા દિવસો પહેલા જ ભારતના બે જહાજો આ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થયા છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. નોંધનીય છે કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આ માર્ગ પર નિર્ભર છે, તેથી ઈરાનની આ જાહેરાત ભારતની અર્થવ્યવસ્થા અને ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશે પણ આ માર્ગનો ઉપયોગ કરવા માટે ઈરાન સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

Andes Strain Hantavirus। દુનિયા પર નવા વાયરસનું સંકટ? હંતા વાયરસનો ‘એન્ડિઝ સ્ટ્રેન’ કેમ માનવામાં આવે છે સૌથી ઘાતક? લક્ષણો અને બચાવના ઉપાયો જાણી લો
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
Maharashtra Heatwave Alert। આકરી ગરમી અને હીટવેવની આગાહી, બપોરે ૧૨ થી ૪ લૂ લાગવાનું જોખમ! હવામાન વિભાગે જાહેર કરી કડક માર્ગદર્શિકા
PM Modi Gold Strike| સોનામાં રોકાણ કરતા પહેલા સાવધાન! પીએમ મોદીએ કેમ કરી સોનું ન ખરીદવાની અપીલ? સમજો દેશના અર્થતંત્ર સાથે જોડાયેલું આ ગણિત
Exit mobile version