Site icon News Continuous Bureau | Mumbai

Russia President: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને ફોન કર્યો, યુક્રેન સાથે યુદ્ધ ન ખતમ કરવાનું કારણ જણાવ્યું

Russia President: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પુતિને પીએમ મોદીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તેમણે કહ્યું કે યુક્રેન કોઈપણ પ્રકારની સમજૂતી માટે રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ દરમિયાન મોદીએ 'સંવાદ' અને 'કુટનીતિ'ની તેમની નીતિ પર ભાર મૂક્યો હતો.

G20 Summit : PM Narendra Modi Talks With President Putin..Know What They Discussed

G20 Summit : PM Narendra Modi Talks With President Putin..Know What They Discussed

News Continuous Bureau | Mumbai 

Russia President: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિ (Russian President Vladimir Putin) ને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ (Ukraine War) સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રશિયાના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને સમર્થન આપ્યું હતું.

Join Our WhatsApp Channel

આ વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાની વર્તમાન સ્થિતિ અને નવીનતમ ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેન કોઈપણ પ્રકારની સમજૂતી માટે રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ દરમિયાન મોદીએ ‘સંવાદ’ (Dialogue) અને ‘કુટનીતિ’ (Diplomacy) ની તેમની નીતિ પર ભાર મૂક્યો હતો.

વેગનરના બળવાની પણ ચર્ચા થઈ

બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ 24 જૂને રશિયામાં વેગનર આર્મી (Wagner Army) ના વિદ્રોહ અને તખ્તાપલટના પ્રયાસના સંબંધમાં રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન કર્યું હતું. તેમણે રશિયામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પુતિનના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને પણ સમર્થન આપ્યું હતું.
બંને વિશ્વ નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે દ્વિપક્ષીય સહયોગના મુદ્દા પર ભાર મૂક્યો હતો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને G-20 પર પણ ચર્ચા થઈ હતી.
રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેન(Ukraine) યુદ્ધની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા. તેમણે કહ્યું કે યુક્રેન આ યુદ્ધના ઉકેલ માટે કોઈપણ પ્રકારના રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. પુતિન અને મોદીએ ભારત-રશિયા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા સતત સંપર્કમાં રહેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Surat: મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ, અલ્લુ બોરિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર

પુતિન મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરે છે

તમને જણાવી દઈએ કે આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર તરીકે વખાણ કર્યા હતા. તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું. પુતિને ‘મેક ઇન ઇન્ડિયા’ (Make In India) કોન્સેપ્ટની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર રશિયન બજાર પર નથી પડી.
પુતિને કહ્યું હતું કે અમારા મિત્ર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. ભારતને આના સકારાત્મક પરિણામો મળ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઈન્ડિયા’ના કન્સેપ્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર ‘સ્પષ્ટ અસર’ પડી છે, એમ આરટી (RT) ના અહેવાલમાં જણાવાયું છે.
મોસ્કો (Moscow) માં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું હતું કે “ભારતમાં અમારા મિત્ર અને રશિયાના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા ‘મેક ઇન ઈન્ડિયા’નો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સ્પષ્ટ અસર પડી છે.” તેમણે કહ્યું કે દેશ જે કંઈ પણ બનાવી રહ્યો છે તે સારું કામ કરી રહ્યો છે, તેને અપનાવવું કોઈ પાપ નથી. ખાસ કરીને આપણા સારા મિત્રોએ બનાવેલી વસ્તુઓ અપનાવવી જોઈએ.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા સહિત યુરોપિયન દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની દેશ પર કોઈ અસર થઈ નથી. તેના કારણે રશિયન માર્કેટમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે દેશમાંથી પશ્ચિમી કંપનીઓના જવાને કારણે રશિયન ઉદ્યોગ સાહસિકો માટે તકો વધી છે. તેમણે કહ્યું કે રશિયાને સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો: Buldhana Accident News: સમૃદ્ધિ હાઈવે પર ભયાનક રોડ અકસ્માત, બસમાં સવાર 25 લોકોના મોત, 8 લોકોનો આબાદ બચાવ

Eknath Shinde Sharad Pawar Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધમાકો કેબિનેટ બેઠક અધવચ્ચે છોડીને શરદ પવારને મળવા પહોંચ્યા મુખ્યમંત્રી એકનાથ શિંદે ; અટકળો તેજ
Donald Trump Giorgia Meloni “તેઓ સારા વ્યક્તિ છે, પણ…”; ઇટાલીના પીએમ મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા, જાણો હવે શું કહ્યું?
Nijjar Case Update નિજ્જર કેસમાં કેનેડાનો મોટો યુટર્ન ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, જસ્ટિન ટ્રુડોના જુઠાણાનો થયો પર્દાફાશ
NATO Mega Defense Plan રશિયાચીન સામે લડવા નાટોનો મેગા ડિફેન્સ પ્લાન, મિસાઈલ શીલ્ડથી લઈને સ્પેસ સર્વેલન્સ સુધીની નવો માસ્ટરપ્લાન તૈયાર
Exit mobile version