News Continuous Bureau | Mumbai
Sheikh Hasina Bangladesh બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લાંબા અંતરાલ બાદ જાહેરમાં આવીને આગામી ડિસેમ્બરમાં દેશમાં પરત ફરવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમને જેલમાં નાખવામાં આવે કે મારી નાખવામાં આવે તેની કોઈ પરવા નથી.
Sheikh Hasina Bangladesh – બે વર્ષ પછી આપ્યું વર્ચ્યુઅલ ભાષણ
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ દેશ છોડીને ગયેલા શેખ હસીનાએ (Sheikh Hasina) લગભગ બે વર્ષના લાંબા સમય પછી એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ઓનલાઈન સંબોધન કર્યું હતું. તેમના આ ભાષણને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ખાસ વાત એ રહી કે આ સમગ્ર ઓનલાઈન ભાષણ દરમિયાન તેમનો કેમેરો બંધ (Camera off) રાખવામાં આવ્યો હતો, જેના કારણે મીડિયા અને વિરોધીઓમાં અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે.
Sheikh Hasina Bangladesh – “મને જેલમાં નાખે કે મારી નાખે”
પોતાના સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા શેખ હસીનાએ અત્યંત ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના વતન બાંગ્લાદેશ ચોક્કસપણે પાછા ફરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વર્તમાન શાસકો ભલે તેમને જેલમાં પૂરી દે કે પછી જીવથી મારી નાખે, પરંતુ તેઓ પોતાના દેશ અને જનતાની સેવા કરવા માટે પાછા ફરવાથી પીછેહઠ નહીં કરે.
Sheikh Hasina Bangladesh – રાજકીય ઉથલપાથલ અને સુરક્ષાના સવાલો
શેખ હસીનાના આ અચાનક નિવેદનથી બાંગ્લાદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેમના પર અગાઉ અનેક ગંભીર કેસો નોંધવામાં આવ્યા છે અને દેશમાં તેમની સુરક્ષાને લઈને પણ મોટા જોખમો રહેલા છે. આવી સ્થિતિમાં ડિસેમ્બરમાં તેમની વાપસીનું એલાન દેશના રાજકીય માહોલને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાક્રમ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
