Site icon News Continuous Bureau | Mumbai

Sri Lanka Suicide: શ્રીલંકામાં પુનર્જન્મની શોધમાં ધર્મગુરુ સહિત આટલા લોકોએ કર્યો આપઘાત.. પોલીસ તપાસ ચાલુ..

Sri Lanka Suicide: શ્રીલંકામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે, કે 1 ધર્મગુરુ સહિત 7 લોકોએ આત્મહત્યા કરી હતી.

Sri Lanka Suicide 7 people including a priest committed suicide in search of reincarnation in Sri Lanka.. Police investigation continues..

Sri Lanka Suicide 7 people including a priest committed suicide in search of reincarnation in Sri Lanka.. Police investigation continues..

News Continuous Bureau | Mumbai

Sri Lanka Suicide: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 ધર્મગુરુ સહિત 7 લોકોએ પુનર્જન્મની ઈચ્છાથી આત્મહત્યા ( Suicide ) કરી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ગયા મંગળવારે (2 જાન્યુઆરી), પોલીસે યાક્કાલા ( Yakkala ) અને મહારાગામા વિસ્તારમાંથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મેળવ્યા હતા. પોલીસને શંકા છે કે બંને પીડિતાએ ઝેર પીને આત્મહત્યા કરી છે. મામલાની તપાસ કરવા પર, પોલીસને જાણવા મળ્યું કે તે બંને 47 વર્ષીય બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ને ( Ruwan Prasanna Gunaratne ) પર વિશ્વાસ કરે છે. તેણે જ બંનેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા, ત્યારબાદ બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. 

Join Our WhatsApp Channel

જોકે પોલીસે ( Sri Lanka police ) વધુ તપાસની સમગ્ર જવાબદારી CIDને સોંપી દીધી છે. તપાસને આગળ વધારતા, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ જાણવા મળ્યું કે બૌદ્ધ ધાર્મિક નેતા રુવન પ્રસન્ના ગુણારત્ને તેમના અનુયાયીઓને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા અને કહેતા હતા કે આમ કરવાથી તેઓ પુનર્જન્મ ( rebirth ) લેશે.

ધર્મગુરુની પત્ની અને બે બાળકોએ પણ કરી આત્મહત્યા..

એક અહેવાલ મુજબ, ઓલ્ડ રોડ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી 34 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય 21 વર્ષીય મહિલાનો મૃતદેહ યક્કાલા વિસ્તારના રફાલ વટ્ટામાં તેના ઘરેથી મળી આવ્યો હતો. મહિલા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. 28 ડિસેમ્બરે બૌદ્ધ ધર્મગુરુ રુવાન પ્રસન્ના ગુણરત્નેકાનો મૃતદેહ મહારાગામાના એક ગેસ્ટ હાઉસમાંથી મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Khalistani Terrorist Pannun: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ રામ લલ્લાના અભિષેક પહેલા ઝેર ઓક્યું .. કહ્યું રર જાન્યુઆરી મુસ્લિમો માટે ઓપરેશન બ્લુસ્ટાર.. જાણો બીજુ શું કહ્યું પન્નુએ..

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, થોડા દિવસો પછી, 31 ડિસેમ્બરે, રુવાન પ્રસન્ના ગુણરત્નેકાની 35 વર્ષીય પત્નીનો મૃતદેહ તેના બે પુત્રો અને પુત્રી સાથે કહાંટોટા, મલબેમાં તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પરિવારના તમામ સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. મહિલાના બે પુત્રો અને એક પુત્રીની ઉંમર અનુક્રમે 9, 8 અને 7 વર્ષની હતી. ગુણરત્ને પોતાના અનુયાયીઓને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા અને કહેતા હતા કે આમ કરવાથી તેઓ પુનર્જન્મ લેશે.

US Iran Peace Deal શું શાંત થશે મધ્ય પૂર્વનો તણાવ? અમેરિકાઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ૧૪ મુદ્દાઓ ચર્ચામાં.
US Attacks on Ships ઓમાનના તટ પર અમેરિકી હુમલા ભારતીય નાવિકોના મોત મામલે ભારતે અમેરિકી રાજદ્વારીને તલબ કર્યા
Trump’s Decision ટ્રમ્પે ઈરાન પરના હુમલા શા માટે રોક્યા? કતર અને યુએઈના કહેવાથી બદલાયો નિર્ણય!
Indian Sailor Death નાવિકોના મોતથી ઈરાન ગમગીન કહ્યું ‘અમે ભારતની સાથે છીએ, અમેરિકાનું કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ.’
Exit mobile version