Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકાએ ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા ફરી શરૂ કરવાની કરી જાહેરાત, આ દેશોને નહીં મળે લાભ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોનાના લીધે ઘણા બધા દેશોમાં પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોંચી છે. કોરોનાના વધતા જતા કેસોના લીધે પ્રવાસન ઉદ્યોગ નવા નવા પગલા લઇ રહ્યા છે. આ જ ક્રમમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પર્યટનને ઝડપી કરવા એક પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. 

શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એન્ટ્રી પોર્ટ પર આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન જારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ફેબ્રુઆરી ૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. શ્રીલંકાની સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને ટાપુ દેશમાં પર્યટન ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. 

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ..કહ્યું- ભારત સાથે સંબંધો સામાન્ય કરવા માંગે છે, પરંતુ કાશ્મીર મોટો મુદ્દો

જો કે આ શ્રીલંકા સરકારે પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોને ઝટકો આપ્યો છે. આ સુવિધા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, નાઈજીરિયા, ઘાના, આઈવરી કોસ્ટ, કેમરૂન, મ્યાનમાર, નેપાળ અને ઉત્તર કોરિયાના પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

શ્રીલંકાની આવકનો મોટો હિસ્સો પ્રવાસનમાંથી આવે છે. શ્રીલંકા એશિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. રોગચાળા પહેલાના દિવસોમાં, ભારત લંકાનું સૌથી મોટું ઇનબાઉન્ડ ટુરિઝમ માર્કેટ હતું. કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગને ઘણી અસર થઈ છે.

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Isha Foundation Devotees Tibet Flood મોટી મુશ્કેલી તિબેટમાં પૂરના પાણી વચ્ચે ફસાયા ઈશા ફાઉન્ડેશનના ૮૦ સાધકો, સદગુરુની ચીન સરકારને અપીલ
Nepal Glacier Collapse નેપાળમાં લાંગટાંગ લિરુંગ પર્વત પરથી વિશાળ ગ્લેશિયર તૂટી પડ્યો, સેંકડોના મોત
Exit mobile version