Site icon News Continuous Bureau | Mumbai

Sunetra Pawar: કાકાના આશીર્વાદ વગર સુનેત્રા પવારનો રાજ્યાભિષેક? મુંબઈમાં શપથ ગ્રહણ પહેલા બારામતીમાં ‘પવાર વર્સેસ પવાર’ ની લડાઈ તેજ

Sunetra Pawar: અજીત પવારના અસ્થિ વિસર્જન બાદ સુનેત્રા પવાર અને શરદ પવાર વચ્ચે નથી થઈ કોઈ વાતચીત; NCP ના બંને જૂથોના વિલીનીકરણની અટકળો પર લાગી બ્રેક, જાણો શું છે મામલો.

Sunetra Pawar to Take Oath as Maharashtra’s First Female DCM Today; Distance Grows with Sharad Pawar Camp

Sunetra Pawar to Take Oath as Maharashtra’s First Female DCM Today; Distance Grows with Sharad Pawar Camp

News Continuous Bureau | Mumbai

Sunetra Pawar: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક નિધન બાદ રાજ્યના રાજકારણમાં મોટી હિલચાલ જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેઓ રાજ્યના ઈતિહાસના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. પરંતુ, આ શપથવિધિના કાર્યક્રમથી શરદ પવારના જૂથને દૂર રાખવામાં આવ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.બારામતીમાં ગઈકાલે અજીત પવારનાઅસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ થયા બાદ સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર અલગ-અલગ રસ્તે ગયા હતા. ત્યારબાદ સુનેત્રા પવાર શરદ પવારને મળ્યા વગર જ સીધા મુંબઈ જવા રવાના થયા હતા. સુનીલ તટકરે, પ્રફુલ પટેલ અને છગન ભુજબળ જેવા નેતાઓએ શપથવિધિ અંગે શરદ પવાર જૂથ સાથે કોઈ ચર્ચા કરી નથી, જેનાથી પવાર પરિવારમાં નારાજગી હોવાનું મનાય છે.

Join Our WhatsApp Channel

શપથવિધિ પહેલા મહત્વની બેઠક

આજે બપોરે 2 વાગ્યે વિધાનભવનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં સુનેત્રા પવારને વિધાયક પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે. સુનીલ તટકરેએ આ અંગે વિધાનભવનમાં સત્તાવાર પત્ર પણ આપી દીધું છે. સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સભ્ય છે, તેથી નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે.

આ સમાચાર પણ વાંચો :  Oil Diplomacy: ક્રૂડ ઓઈલની દુનિયામાં ભૂકંપ! ટ્રમ્પની એન્ટ્રી સાથે ભારતની ઓઈલ રણનીતિ બદલાઈ, રશિયાને લાગશે મોટો ઝટકો?

વિલીનીકરણની ચર્ચાઓ અટકી

અજીત પવારના નિધન પહેલા બંને NCP જૂથો એક થઈને ચૂંટણી લડી રહ્યા હતા અને વિલીનીકરણની અટકળો તેજ હતી. પરંતુ, અજીત પવારના અવસાન બાદ જે રીતે સુનેત્રા પવારની નિમણૂક કરવામાં આવી છે અને શરદ પવારને પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે, તેનાથી બંને પક્ષો વચ્ચેનું અંતર ફરી વધતું જણાય છે. હવે રાજ્યના રાજકારણની નજર આજના શપથવિધિ પર અને શરદ પવારની પ્રતિક્રિયા પર રહેશે.

 

Mount Kailash mystery અધ્યાત્મ, પ્રતિબંધો કે કોઈ અદભુત શક્તિ? કૈલાશ પર્વતના રહસ્ય આગળ વિજ્ઞાન પણ છે લાચાર
US Iran war અમેરિકા અને ઇઝરાયેલના ૪૮ કલાકના પ્લાનથી ઈરાનમાં ખળભળાટ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આપ્યા મોટા સંકેત
US court setback for Donald Trump ‘તમે વ્હાઈટ હાઉસના માલિક નહીં ભાડુઆત છો…’ મનમાની કરતાં ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો
Kiren Rijiju praises Rahul Gandhi ભાજપના મંત્રીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા, કોંગ્રેસ નેતાના આ વીડિયો પર ફિદા થયા મંત્રી કિરેન રિજિજુ
Exit mobile version