Site icon

Pulse Industry: ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળ ઉદ્યોગના હિતધારકો સાથે બેઠક યોજી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા..

Pulse Industry: ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, કઠોળ ઉદ્યોગના હિતધારકો સાથે બેઠક યોજી. ઉપભોક્તા બાબતોનાં વિભાગનાં સચિવે યાંગુનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી અનાજ-કઠોળની આયાત સાથે સંબંધિત મુદ્દાઓ પર બેઠકની અધ્યક્ષતા કરી

The Consumer Affairs Secretary held a meeting with stakeholders of the pulses industry, discussing these issues.

The Consumer Affairs Secretary held a meeting with stakeholders of the pulses industry, discussing these issues.

News Continuous Bureau | Mumbai 

Pulse Industry: ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ 15 એપ્રિલ, 2024થી ઓનલાઈન સ્ટોક મોનિટરિંગને કાર્યરત કરવા માટે કઠોળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીતની એક શ્રૃંખલા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, જે કોઈ પણ વ્યક્તિ કઠોળના ફોરવર્ડ ટ્રેડમાં સામેલ જણાશે, તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓના કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

Join Our WhatsApp Community

ઉદ્યોગ તરફથી મળેલા પ્રતિસાદ અને બજારના વિવિધ ખેલાડીઓ સાથે સ્ટોકની સ્થિતિને લગતી બજારની ગુપ્ત માહિતીના ઇનપુટ્સને વધુ ચકાસણી માટે એકત્રિત કરવામાં આવ્યા છે.

તેમણે યાંગુનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી કઠોળની આયાત ( pulse import ) સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી, જેમ કે સુધારેલા વિનિમય દરો અને મ્યાનમારમાં ( Myanmar ) આયાતકારો દ્વારા રાખવામાં આવેલા સ્ટોકને પગલે આયાતની કિંમતો. ભારતીય મિશને જાણકારી આપી કે વેપાર વ્યવહારોને સરળ બનાવવા અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રૂપી ક્યાત સેટલમેન્ટ મિકેનિઝમ 25 જાન્યુઆરી, 2024થી કાર્યરત કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમારે 26 જાન્યુઆરી 2024એ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ (એસઆરવીએ) હેઠળ ચુકવણી પ્રક્રિયાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી વ્યવસ્થા સમુદ્ર અને સરહદ બંને વેપાર માટે અને માલ તેમજ સેવાઓના વેપાર માટે લાગુ થશે. વેપારીઓ દ્વારા આ વ્યવસ્થાને અપનાવવાથી ચલણના રૂપાંતરણ સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો થશે અને વિનિમય દર સાથે સંબંધિત જટિલતાઓ દૂર થશે, જે બહુવિધ ચલણ વાર્તાલાપોની જરૂરિયાતને દૂર કરશે.

આ સમાચાર પણ વાંચો : BIS: નકલી ISI માર્ક ધરાવતા મિનરલ વોટર એકમ પર ભારતીય માનક બ્યુરોના દરોડા, કાર્યવાહીમાં સ્ટીકર લેબલના આટલા રોલ જપ્ત

વેપારી સમુદાયો ( Business communities ) અને ખાસ કરીને કઠોળના આયાતકારો વચ્ચે આ વ્યવસ્થા કાર્યરત કરવા અંગેના પ્રચાર-પ્રસાર અલગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં તેમને પંજાબ નેશનલ બેંક મારફતે એસઆરવીએનો ઉપયોગ કરીને રૂપિયા/ક્યાત સીધી ચુકવણી પ્રણાલીનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

આયાતકારો ( Importers ) અને અન્ય ઉદ્યોગજગતના ખેલાડીઓ જેવા કે માલિકો, સ્ટોકિસ્ટો, રિટેલરો વગેરેને 15 એપ્રિલ, 2024થી પોર્ટલ https://fcainfoweb.nic.in/psp/ પર સાપ્તાહિક ધોરણે આયાતી યલો વટાણા સહિત કઠોળના તેમના સ્ટોકની પ્રામાણિકપણે જાહેરાત કરવા જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ટોકહોલ્ડિંગ કંપનીઓ દ્વારા સાપ્તાહિક સ્ટોક ડિસ્ક્લોઝર લાગુ કરવા અને તેમના દ્વારા જાહેર કરાયેલા શેરોની ચકાસણી કરવા પણ કહેવામાં આવ્યું છે. મુખ્ય પોર્ટ અને કઠોળ ઉદ્યોગના કેન્દ્રોમાં આવેલા ગોડાઉનોમાં સ્ટોકની સમયાંતરે ચકાસણી થવી જોઈએ અને સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલ પર ખોટી માહિતી આપતા હોવાનું જણાતા સ્ટોકહોલ્ડિંગ એકમો પર કડક કાર્યવાહી થવી જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
Exit mobile version