Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને મોટો ઝટકો, યુકેની અદાલતે સાતમી વખત જામીન અરજી નામંજૂર કરી… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ઓક્ટોબર 2020

યુકેની એક અદાલતે સાતમી વખત ભાગેડુ ભારતીય હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડથી વધુની છેતરપિડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, સાથે તેને ભાગેડુ જાહેર કરાયો છે. તેણે તેના પ્રત્યાર્પણના ઓર્ડર સામે બ્રિટનની કોર્ટમાં પડકાર અરજી કરી હતી. 

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં યુકેની કોર્ટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી લંબાવી હતી. ગયા મહિને મોદીની કાનૂની સલાહકારે યુકેની એક કોર્ટને કહ્યું હતું કે, નીરવ મોદીના કેસના રાજકીયકરણના કારણે ભારતમાં આ કેસ નિષ્પક્ષ સુનાવણી થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવના છે અને તેઓ આત્મહત્યાના જોખમનો સામનો કરી શકે છે. 

આપને જણાવી દઈએ કે, લંડન પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે લંડનની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને મોદીએ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version