Site icon

આ દેશમાં બર્ડ ફ્લૂનો ખતરો. ૨૬ હંસને બર્ડ ફ્લૂના ભયથી મારી નાખવામાં આવ્યા. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

બ્રિટિશ રાજવી પરિવારના વિન્ડસર કેસલ ખાતે થેમ્સ નદીના કિનારે રાણી એલિઝાબેથ ના 26 હંસ મારી નાખવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બર્ડ ફ્લૂ ફેલાવાનો ભય છે. છ હંસને લઈ કહેવામાં આવ્યું હતું કે, તેઓ એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી મૃત્યુ પામ્યા હતા. આવી સ્થિતિમાં વાયરસ ફેલાવાનો ભય છે. અત્યાર સુધીમાં કુલ 33 પક્ષીઓના મોત થયા છે 

હંસને મારવા માટે પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગ દ્વારા સ્વાન લાઇફલાઇન રેસ્ક્યુ સેન્ટરના પશુચિકિત્સકોને બોલાવવામાં આવ્યા હતા. ક્વીન એલિઝાબેથ તમામ મૂંગા હંસની માલિક છે, આ હંસ બ્રિટનમાં ખુલ્લા પાણીમાં જોવા મળે છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, રાણીના હંસના માર્કર ડેવિડ બાર્બરે હંસના માર્યા ગયા હોવાની માહિતી આપી છે. એલિઝાબેથ આ માહિતી મેળવીને ખૂબ દુઃખી છે બ્રિટનની રાણી એલિઝાબેથ દેશમાં જોવા મળતા દરેક મૂક હંસની માલિક છે.

 બનતા પહેલા જ બગડ્યું. કોંગ્રેસ વિરોધી નિવેદનને લીધે ગોવામાં કોંગ્રેસ આ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. 

દર ઉનાળામાં, પરંપરાગત રીતે થેમ્સ નદી પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં હંસનું ટોળું અને તેમની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમનો રેકોર્ડ રાખવામાં આવે છે. આ ઘટના સ્વાન અપિંગ એટલે કે હંસ પકડવાની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ 12મી સદીથી ચાલ્યો આવે છે, જ્યારે બ્રિટનમાં ખુલ્લા પાણીમાં બધા અચિહ્નિત મૂક હંસની માલિકીનો દાવો શાહી સિંહાસનના રાજા દ્વારા કરવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ એ હતો કે ખોરાક માટે હંસના પુરવઠામાં ક્યારેય વિક્ષેપ ન આવે. હાલમાં, રાણી આ હંસ પર આ અધિકારનો ઉપયોગ ફક્ત થેમ્સ નદી અને તેની આસપાસની ઉપનદીઓના ભાગોમાં જ કરે છે.

 હંસ પરની માલિકી ‘વર્શિપફુલ કંપની ઑફ વિન્ટર્સ’ અને ‘ધ વર્શિપફુલ કંપની ઑફ ડાયર્સ’ સાથે રજુ કરવામાં આવે છે, જેમને 15મી સદીમાં રાજા દ્વારા માલિકીના અધિકારો આપવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે સ્વાન અપિંગ દરમિયાન હંસ અને તેમના બચ્ચાની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમનું વજન લેવામાં આવે છે અને કોઈપણ ઇજાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો કે, બ્રિટનમાં ચાલી રહેલા કોરોનાવાયરસ રોગચાળાને કારણે, હંસની ગણતરીનું કાર્ય અવરોધિત થવા જઈ રહ્યું છે. એવો અંદાજ છે કે વિન્ડસર કેસલની ત્રણ કિમીની ત્રિજ્યામાં 150 થી 200 હંસ છે.

 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version