Site icon News Continuous Bureau | Mumbai

નવો કોરોના વાયરસ જીવલેણ નથી, હા..જુના કરતાં વધુ ચેપી જરૂર છે : બ્રિટનના આરોગ્ય વિભાગનો દાવો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. તેના કેટલાક દર્દીઓ ઘણા રાજ્યોમાં મળી આવ્યા છે. જો કે, યુકેની પબ્લિક હેલ્થ સોસાયટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસથી થોડી ચિંતા ઓછી થઈ છે. રિસર્ચમાં જણાયું છે કે નવા વાયરસ જૂના જંતુઓ કરતાં વધુ જીવલેણ નથી. જો કે, તેનો ફેલાવો પહેલા કરતા ઝડપથી થાય છે. આથી આરોગ્ય નિષ્ણાતોએ ગભરાવાની જરૂર નથી એવી સલાહ આપી છે.

Join Our WhatsApp Channel

આ અંગે ભારતના એઈમ્સના ભૂતપૂર્વ નિર્દેશક એમસી મિશ્રાએ જણાવ્યું છે કે આ અધ્યયનમાં 3600 લોકો શામેલ હતા. આ દર્દીઓને બે વર્ગમાં વહેંચાયા હતા. એક વર્ગમાં જૂના સ્ટ્રેન વાળા દર્દીઓ હતા, જ્યારે બીજા વર્ગમાં નવા સ્ટ્રેનની પકડમાં હતા. વિશેષ વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓમાંથી ફક્ત 42 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાં જૂના સ્ટ્રેનવાળા 26 દર્દીઓ હતા અને નવા સ્ટ્રેનવાળા દર્દીઓ 16 જ હતા. આ બતાવે છે કે આ વાયરસ ઓછો જીવલેણ છે. 

આથી હવે ,હાલમાં જ ભારતે કોરોના વાયરસના નવા જંતુઓના ભયથી લાદવામાં આવેલી યુકેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. 8 જાન્યુઆરીથી યુકેથી ફ્લાઇટ ફરી શરૂ થશે. જો કે, ઘણા દેશોમાં હજી પણ હંગામી ધોરણે ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે..

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.
Hormuz Strait| સીઝફાયર એક્સટેન્શન પર ઈરાનનો કટાક્ષ અમેરિકાને આપ્યો સ્પષ્ટ જવાબ
Donald Trump| ઈરાનયુએસ યુદ્ધવિરામ પાછળનું મોટું રહસ્ય ટ્રમ્પની આ રણનીતિ બદલી શકે છે મધ્ય પૂર્વનું રાજકારણ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Exit mobile version