Site icon

US travel advisory : લાહોરમાં સળંગ ત્રણ બ્લાસ્ટ, ટ્રમ્પ પ્રશાસને જારી કરી એડવાઇઝરી; સુરક્ષિત સ્થળે જતા રહો..

US travel advisory : ભારતના ઓપેરેશન સિંદૂર પછી, પાકિસ્તાન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. અમેરિકાએ લાહોરમાં રહેતા અમેરિકન નાગરિકોને દેશ છોડી દેવાની સલાહ આપી છે અને તેમને સુરક્ષિત સ્થળે જવાની પણ વિનંતી કરી છે.

US travel advisory Leave area of conflict' US issues travel advisory for Pakistan amid drone explosions

US travel advisory Leave area of conflict' US issues travel advisory for Pakistan amid drone explosions

 News Continuous Bureau | Mumbai

US travel advisory :  ભારતના ‘ઓપરેશન સિંદૂર’ એ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય સેના અને વાયુસેનાએ 7 મેના રોજ મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. જ્યારે સેનાએ મૌન સેવ્યું છે, ત્યારે પાકિસ્તાની નેતાઓ નિવેદનો આપવા અને ધમકીઓ આપવાથી પાછળ નથી હટતા. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ પણ ભારતને જવાબી હુમલાની ધમકી આપી રહ્યા છે. આ પછી લાહોરથી પણ વિસ્ફોટના સમાચાર આવ્યા. મળતી માહિતી મુજબ, લાહોરમાં સવારે 8 થી 9:30 વાગ્યાની વચ્ચે વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ અમેરિકાએ તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે.

Join Our WhatsApp Community

US travel advisory : કર્મચારીઓને તાત્કાલિક સલામત સ્થળે આશ્રય લેવા નિર્દેશ 

અમેરિકન સરકારે લાહોરમાં તેના કોન્સ્યુલેટ જનરલના તમામ કર્મચારીઓને તાત્કાલિક ‘આશ્રયસ્થાન’ (સ્થાનિક રીતે સલામત સ્થળે આશ્રય લેવા) નિર્દેશ આપ્યો છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને લાહોરમાં રહેતા તેના નાગરિકોને ચેતવણી આપી છે કે  તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી જાય. જો બહાર જવું શક્ય ન હોય તો તેમને ત્યાં આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. લાહોર એરપોર્ટ નજીકના વિસ્તારોમાં સંભવિત ખાલી કરાવવાના અહેવાલો વચ્ચે આ સલાહ જારી કરવામાં આવી છે.

 

US travel advisory : યુએસ નાગરિકો માટે ખાસ સૂચનાઓ

આ સમાચાર પણ વાંચો : Lahore Blasts : સવાર સવારમાં પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, એક પછી એક ત્રણ બ્લાસ્ટ; આખા લાહોરમાં ધુમાડો ધુમાડો; જુઓ વિડીયો

US travel advisory : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલો તણાવ

આ એડવાઇઝરી એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી શિબિરોને નિશાન બનાવ્યા હતા. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેનો ઉદ્દેશ્ય તણાવ વધારવાનો નથી, પરંતુ જો પાકિસ્તાન તરફથી કોઈ બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવે છે, તો ભારત યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version