News Continuous Bureau | Mumbai
Amir Hamza Lahore Shooting। પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોથી લશ્કરએતૈયબા, જૈશએમોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ટોચના કમાન્ડરોનો રહસ્યમય રીતે સફાયો થઈ રહ્યો છે. તાજેતરની ઘટનામાં, પ્રતિબંધિત સંગઠન લશ્કરએતૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા આમિર હમઝાને નિશાન બનાવવામાં આવ્યો છે. લાહોરમાં મોટરસાઈકલ પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ હમઝા પર ગોળીઓનો વરસાદ કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
‘અજ્ઞાત બંદૂકધારીઓ’ આતંકીઓ માટે બન્યા કાળ
પાકિસ્તાનની ધરતી પર આશરો લઈ રહેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ માટે હવે કોઈ સુરક્ષિત સ્થાન બચ્યું નથી. વર્ષ 2023 પછી આ પ્રકારની હત્યાઓમાં ભારે તેજી જોવા મળી છે. માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં સાત જેટલા મોટા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ હજુ સુધી એ જાણી શકી નથી કે આ ‘અજ્ઞાત હુમલાખોરો’ કોણ છે, જે આટલી ચોકસાઈથી આતંકીઓના અડ્ડાઓ સુધી પહોંચીને તેમને ખતમ કરી રહ્યા છે.
આતંકીઓના સફાયાની યાદી થઈ લાંબી
આ સિલસિલામાં ઘણા મોટા નામ સામેલ છે. જેમાં પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો વડો પરમજીત સિંહ પંજવડ અને લશ્કરનો કમાન્ડર અકરમ ખાન ગાઝી સામેલ છે. આ તમામ આતંકીઓને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં અજ્ઞાત શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યા છે. આટલું જ નહીં, 1999ના વિમાન અપહરણ કાંડના આરોપી મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમને પણ કરાચીમાં ઠાર કરવામાં આવ્યો હતો, જે વર્ષોથી ઓળખ છુપાવીને પાકિસ્તાનમાં રહેતો હતો.
પાકિસ્તાની એજન્સીઓ અને આતંકીઓમાં ફફડાટ
લગાતાર થઈ રહેલી આ ઘટનાઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ઊંઘ ઉડાવી દીધી છે. આતંકવાદી સંગઠનોમાં અત્યારે ભારે ડરનો માહોલ છે, કારણ કે તેમને સમજાતું નથી કે તેમની સુરક્ષામાં ગાબડું ક્યાં પડી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા આ હત્યાઓનો શ્રેય વારંવાર ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ને આપી રહ્યું છે. આ આતંકીઓ જે રીતે એક પછી એક ખતમ થઈ રહ્યા છે, તેનાથી આતંકી સંગઠનોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
👉 આ સમાચાર વાચો:
PM Modi Donald Trump Call, ટ્રમ્પનો પીએમ મોદી પર ફરી વરસ્યો પ્રેમ ફોન પર વાતચીત કરી ગણાવ્યા ‘સારા મિત્ર’, જાણો બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે શું થઈ ચર્ચા
