Site icon News Continuous Bureau | Mumbai

Ministry of External Affairs: ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી તેલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયનો આવી ગયો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) કહ્યું કે ભારત તેલ અને ગેસની આયાત અહીંના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે, જોકે, તેમણે ટ્રમ્પના દાવાઓનું સીધું ખંડન કર્યું ન હતું.

Ministry of External Affairs ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી

Ministry of External Affairs ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી

News Continuous Bureau | Mumbai
 Ministry of External Affairs અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. તેમણે એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભરોસો પણ આપ્યો છે. ટ્રમ્પના આ નિવેદન પછી તરત જ ભારતના વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત તેલ કે ગેસની આયાત અહીંના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે. જોકે, તેમણે ટ્રમ્પના દાવાઓનું સીધું ખંડન કર્યું ન હતું.

લોકોના હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ભારત તેલ અને ગેસનો એક મહત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્ય માં ભારતીય ગ્રાહકના હિતોની રક્ષા કરવી અમારી પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આના આધારે છે. સ્થિર ઊર્જા કિંમતો અને સુરક્ષિત પુરવઠાને સુનિશ્ચિત કરવો અમારી ઊર્જા નીતિના બે મહત્વપૂર્ણ લક્ષ્યો રહ્યા છે. આના હેઠળ અમે અમારા ઊર્જા સ્ત્રોતોનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને બજારને જોઈને ઘણા બદલાવ પણ કરી રહ્યા છીએ.”

Join Our WhatsApp Channel

ઊર્જાના મામલે અમેરિકા સાથે પણ વાતચીત

વિદેશ મંત્રાલયે કહ્યું, “જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, અમે ઘણા વર્ષોથી અમારી ઊર્જા ખરીદીને વધારવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રક્રિયા છેલ્લા દાયકાથી સતત આગળ વધી છે. અમેરિકાની હાલની સરકારે ભારત સાથે ઊર્જા સહયોગને મજબૂત કરવામાં રુચિ દર્શાવી છે. આના પર વાતચીત ચાલી રહી છે.”

આ સમાચાર પણ વાંચો : Lalu Yadav: RJDની ટિકિટ પર સવાલ,ચૂંટણી પંચના અધિકારીના પરિવારને ટિકિટ આપી… શું છે તેજ પ્રતાપ અને મહિલા ઉમેદવાર વચ્ચેનો સંબંધ?

ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

ટ્રમ્પને ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવાથી ઘણી તકલીફ રહી છે. તેમણે આ કારણે ભારત પર 50 ટકા ટેરિફ (Tariff) પણ લગાવી દીધો હતો, પરંતુ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો. તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે PM મોદીએ તેમને ભરોસો આપ્યો છે કે હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. જોકે ભારત ઘણીવાર સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે રશિયા પાસેથી તેલની ખરીદી પોતાના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરતો રહેશે.

Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Modi Cabinet Reshuffle વૈષ્ણવનું પ્રમોશન અને ગડકરીનું ખાતું બદલાશે? મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની ચર્ચાથી દિલ્હીમાં ગરમાવો
Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Exit mobile version