Site icon

યેતી એરલાઈન્સ ક્રેશ: 42 લોકોના મૃતદેહ મળી આવ્યા! જાણો, કેવી રીતે થયો અકસ્માત? વિડીયો જુઓ

પોખરા નેપાળનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જ્યાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે

Nepal Plane crash

nepal plane crash

News Continuous Bureau | Mumbai

નેપાળના પોખરામાં યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 72 મુસાફરો હતા. તેમાંથી 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન પોખરા એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું.

Join Our WhatsApp Community

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યતિ એરલાઈન્સની ફ્લાઈટ 9N-ALC ATR-72એ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ટેકઓફ કર્યું હતું. તે પોખરા પહોંચી હતી, જ્યાં લેન્ડિંગના થોડા સમય પહેલા જ સવારે 11 વાગ્યે અકસ્માત થયો હતો. વિમાન સેતી નદીની ખીણમાં ક્રેશ થયું હતું. આ સ્થળ જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટની વચ્ચે આવેલું છે. વિમાનમાં 68 મુસાફરો અને 4 એર ક્રૂ સવાર હતા. કુલ મુસાફરોમાં 11 વિદેશી નાગરિકો હતા.

અનેક શબ મળી આવ્યા

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્રેશ થયેલા વિમાનમાં 11 વિદેશી નાગરિકો સહિત કુલ 68 મુસાફરો સવાર હતા. જ્યારે 41 મહિલા અને 27 પુરૂષ મુસાફરો હતા. નવીનતમ માહિતી અનુસાર, 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

વડાપ્રધાન અને ગૃહમંત્રી મોનીટરીંગ કરી રહ્યા છે

પ્લેન ક્રેશની માહિતી મળતાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ગૃહમંત્રી રબી લામિછાણે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ અહીં રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ એરપોર્ટના કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા.

જુવો વિડીયો

 

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Exit mobile version