Site icon

યેતી એરલાઈન્સ ક્રેશ: 42 લોકોના મૃતદેહ મળી આવ્યા! જાણો, કેવી રીતે થયો અકસ્માત? વિડીયો જુઓ

પોખરા નેપાળનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જ્યાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે

Nepal Plane crash

nepal plane crash

News Continuous Bureau | Mumbai

નેપાળના પોખરામાં યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 72 મુસાફરો હતા. તેમાંથી 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન પોખરા એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું.

Join Our WhatsApp Community

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યતિ એરલાઈન્સની ફ્લાઈટ 9N-ALC ATR-72એ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ટેકઓફ કર્યું હતું. તે પોખરા પહોંચી હતી, જ્યાં લેન્ડિંગના થોડા સમય પહેલા જ સવારે 11 વાગ્યે અકસ્માત થયો હતો. વિમાન સેતી નદીની ખીણમાં ક્રેશ થયું હતું. આ સ્થળ જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટની વચ્ચે આવેલું છે. વિમાનમાં 68 મુસાફરો અને 4 એર ક્રૂ સવાર હતા. કુલ મુસાફરોમાં 11 વિદેશી નાગરિકો હતા.

અનેક શબ મળી આવ્યા

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્રેશ થયેલા વિમાનમાં 11 વિદેશી નાગરિકો સહિત કુલ 68 મુસાફરો સવાર હતા. જ્યારે 41 મહિલા અને 27 પુરૂષ મુસાફરો હતા. નવીનતમ માહિતી અનુસાર, 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

વડાપ્રધાન અને ગૃહમંત્રી મોનીટરીંગ કરી રહ્યા છે

પ્લેન ક્રેશની માહિતી મળતાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ગૃહમંત્રી રબી લામિછાણે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ અહીં રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ એરપોર્ટના કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા.

જુવો વિડીયો

 

H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version