Site icon News Continuous Bureau | Mumbai

Akshaya Tritiya 2024 Upay : અક્ષય તૃતીયા પર કરો આ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન; ધનથી ભરાઇ જશે તિજોરી…

Akshaya Tritiya 2024 Upay : અક્ષય તૃતીયા, જેને વૈશાખ શુક્લ પક્ષ તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને દાન અખૂટ ફળ આપે છે.

Akshaya Tritiya 2024 Upay do these Upay on the day of akshaya tritiya to get wealth and prosperity

Akshaya Tritiya 2024 Upay do these Upay on the day of akshaya tritiya to get wealth and prosperity

News Continuous Bureau | Mumbai

Akshaya Tritiya 2024 Upay: હિન્દૂ કેલેન્ડરનો બીજો મહિનો એટલે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા શુક્રવાર, 10 મે 2024 ના રોજ છે. આ દિવસે લોકો દિવાળી અને ધનતેરસની જેમ મોટાપાયે ખરીદી કરે છે. કારણ કે અક્ષય તૃતીયાની તિથિ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાનું શું છે મહત્વ અને ઉપાય

Join Our WhatsApp Channel

Akshaya Tritiya 2024 Upay અક્ષય તૃતીયા દિવસે પશુરામ જયંતિ ઉજવવામાં આવે છે 

આ ઉપરાંત અક્ષય તૃતીયા લગ્ન માટે શુભ સમય માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર, અક્ષય તૃતીયાને સ્વયંસિદ્ધ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે અક્ષય તૃતીયા પર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અને આ દિવસે પશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિ મળે છે. 

Akshaya Tritiya 2024 Upay અક્ષય તૃતીયા પૂજાનો શુભ સમય 

આ વર્ષે અક્ષય તૃતીયા તિથિ 10 મેના રોજ વહેલી સવારે 4:17 વાગ્યે શરૂ થશે. જે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 5.33 વાગ્યાથી છે. આ સમયગાળા દરમિયાન ભક્તો 12:18 વાગ્યા સુધી પ્રાર્થના કરી શકે છે. ( Akshaya Tritiya 2024 puja muhuratઆ સમયગાળામાં પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળશે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા માટે આખો દિવસ શુભ રહેશે. અક્ષય તૃતીયા પર જવનું દાન કરવું એ સુવર્ણ દાન સમાન માનવામાં આવે છે. આ સાથે જમીન, સોનું, પંખો, છત્ર, પાણી, સત્તુ, કપડા વગેરેનું પણ આ દિવસે દાન કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર માત્ર સોનું જ નહીં પરંતુ આ વસ્તુઓની ખરીદી પણ મનાય છે શુભ, દેવી લક્ષ્મીની વરસે છે કૃપા..

Akshaya Tritiya 2024 Upay  અક્ષય તૃતીયા ઉપાય

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Chaturmas Significance ચતુર્માસનું આધ્યાત્મિક મહત્વ શા માટે આ 120 દિવસો માનવામાં આવે છે વર્ષનો સૌથી પવિત્ર કાળ?
Gold and Silver Coins as Prasad ભારતના આ મંદિરમાં દાન આપનારને પરત મળે છે કિંમતી સોનાચાંદી, જાણો ક્યાં આવેલું છે ચમત્કારિક મંદિર.
Significance of Ramraksha Stotra રામરક્ષા સ્તોત્રના રચયિતા કોણ? ક્યારે કરવું પઠન અને શું છે તેનું મહત્વ? એક ક્લિકમાં જાણો બધું જ
Significance of Ramraksha Stotra રામરક્ષા સ્તોત્રના રચયિતા કોણ? ક્યારે કરવું પઠન અને શું છે તેનું મહત્વ? એક ક્લિકમાં જાણો બધું જ
Exit mobile version