Site icon News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2024 : આજે છે દેવશયની એટલે કે દેવપોઢી અગિયારસ; જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Devshayani Ekadashi 2024 : હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણો અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે અને તેની સાથે જ શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જાય છે.

Devshayani Ekadashi 2024 Shubh Muhurat, Fasting Rituals, Significance And More

Devshayani Ekadashi 2024 Shubh Muhurat, Fasting Rituals, Significance And More

 News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2024 : હિંદુ ધર્મમાં એકાદશી  ( Ekadashi ) તિથિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ 24 એકાદશી તિથિ હોય છે. આમાંથી એક છે દેવશયની એકાદશી ( Devshayani Ekadashi ) . દેવશયની એકાદશી પછી ચાતુર્માસ ( Chaturmas )  શરૂ થાય છે, જેમાં શુભ કાર્યો વર્જિત મનાય છે. 

Join Our WhatsApp Channel

આજે છે દેવશયની એકાદશી. અષાઢ શુક્લ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. આ એકાદશીથી શ્રી હરિ વિષ્ણુ ( Lord Vishnu ) આગામી ચાર મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સૂઈ ગયા પછી, ભગવાન શિવ ( Lord Shiv ) બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી લે છે, તેથી ચાતુર્માસના ચાર મહિનામાં ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી છે. 

Devshayani Ekadashi 2024 :  શુભ મુહૂર્ત 

આ વખતે એકાદશી તિથિ 16 જુલાઈના રોજ રાત્રે 08:33 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 17 જુલાઈના રોજ રાત્રે 09:02 વાગ્યે સમાપ્ત થશે. આથી, ઉદયતિથિ અનુસાર, દેવશયની એકાદશીનું વ્રત 17મી જુલાઈએ રાખવામાં આવશે.

Devshayani Ekadashi 2024 : શ્રી હરિ કેમ પોઢી જાય છે?

હરિ અને દેવ એટલે તેજસ્વી તત્વ. આ સમય દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પ્રકૃતિનું તેજ ઘટે છે. એટલે જ કહેવાય છે કે ભગવાન પોઢી ગયા છે. એટલે કે ભગવાન સૂઈ ગયા છે. તેજ તત્વ કે શુભ શક્તિઓ નબળી હોય ત્યારે કરેલા કાર્યનું પરિણામ શુભ નથી હોતું. કામમાં અવરોધ આવવાની પણ સંભાવના હોય છે. તેથી ભગવાન સૂઈ ગયા પછી શુભ કાર્યો થતા નથી.

Devshayani Ekadashi 2024 : દેવશયની એકાદશી પર કેવી રીતે પૂજા કરવી?

દેવશયની એકાદશીના દિવસે રાત્રે ભગવાન વિષ્ણુની વિશેષ રીતે પૂજા કરો. તેમને પીળી વસ્તુઓ, ખાસ કરીને ભવનની મૂર્તિને પીળા કપડાં પહેરાવો. શ્રી હરિને ધૂપ, દીપ, ફળ, ફૂલ અર્પણ કરો. તેમના મંત્રોનો જાપ કરો. આરતી કરો. આરતી પછી, ભગવાન વિષ્ણુને મંત્ર સાથે પ્રાર્થના કરો (‘સુપતે ત્વયિ જગન્નાથ જમત્સુપ્તમ ભવેદિદમ. વિબુદ્ધે ત્વયિ બુદ્ધમ્ ચ જગતસર્વ ચરાચરમ’) અને તેમને સુખ અને સમૃદ્ધિ આપવા  પ્રાર્થના કરો.

આ સમાચાર પણ વાંચો :  Chaturmas 2024 : આજથી શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ, આ તારીખ સુધી નહીં થાય કોઈ શુભ કાર્ય, જાણો શું કરવું અને શું ન કરવું..

Devshayani Ekadashi 2024 :પારણા  સમય

દેવશયની એકાદશી વ્રત દ્વાદશી તિથિના અંત પહેલા તોડી નાખવું જોઈએ. હિંદુ કેલેન્ડર મુજબ, દેવશયની એકાદશીના પારણા 18 જુલાઈના રોજ સવારે 5:35 થી 8:20 વચ્ચે કરવા યોગ્ય રહેશે.

Devshayani Ekadashi 2024:દેવશયની એકાદશીનું મહત્વ

દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ધન, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ દિવસે ઉપવાસ અને ઉપાસના કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ખાસ કરીને શનિ ગ્રહના અશુભ પ્રભાવથી રાહત મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Vaishno Devi Silver Scandal વૈષ્ણોદેવી માતાના દરબારમાં આસ્થા સાથે છેડા? 500 કરોડની ચાંદીની શુદ્ધતા પર સવાલ, તપાસના આદેશ..
Jagannath Puri Mysteries રહસ્યોની નગરી જગન્નાથ પુરી, જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ફેલ, અકબંધ છે આ અલૌકિક ચમત્કારો.
Metal Turtle Benefits વાસ્તુ ટીપ ઘરમાં કાચબો રાખવાથી દૂર થશે નકારાત્મકતા, જાણો સાચી દિશા અને તેના ફાયદા.
Exit mobile version