Site icon News Continuous Bureau | Mumbai

Durga Ashtami 2026: મહાઅષ્ટમી ૨૦૨૬: કન્યા પૂજનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ; દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની ખાસ રીત

Durga Ashtami 2026:૨૬ માર્ચના રોજ મા મહાગૌરી ની થશે ઉપાસના; સવારથી બપોર સુધી કન્યા પૂજનના ત્રણ શ્રેષ્ઠ મુહૂર્ત, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો પણ અદભૂત સંયોગ.

Durga Ashtami 2026: Chaitra Navratri Mahashtami Kanya Pujan Subh Muhurat, Timings, and Rituals for March 26

Durga Ashtami 2026: Chaitra Navratri Mahashtami Kanya Pujan Subh Muhurat, Timings, and Rituals for March 26

News Continuous Bureau | Mumbai
Durga Ashtami 2026:પંચાંગ અનુસાર, ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ ૨૫ માર્ચ (આજે) બપોરે ૧:૫૦ વાગ્યે શરૂ થઈ છે અને તેનું સમાપન ૨૬ માર્ચ (આવતીકાલે) સવારે ૧૧:૪૮ વાગ્યે થશે. ઉદયાતિથિ મુજબ મહાઅષ્ટમી ૨૬ માર્ચના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ઘણા લોકો કન્યા પૂજન કરીને નવરાત્રિના ઉપવાસના પારણા પણ કરતા હોય છે.

કન્યા પૂજન માટેના શુભ મુહૂર્ત

આવતીકાલે કન્યા પૂજન માટે નીચે મુજબના ત્રણ શ્રેષ્ઠ મુહૂર્ત છે:
પ્રથમ મુહૂર્ત: સવારે ૬:૧૬ થી સવારે ૭:૪૮ સુધી.
બીજું મુહૂર્ત: સવારે ૧૦:૫૬ થી બપોરે ૨:૦૧ સુધી.
અભિજીત મુહૂર્ત: બપોરે ૧૨:૦૨ થી બપોરે ૧૨:૫૨ સુધી.
આ ત્રણેય મુહૂર્તમાં શ્રદ્ધાળુઓ કન્યા પૂજન કરી શકે છે. આ ઉપરાંત અષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યા છે, જે સાંજે ૪:૧૯ થી શરૂ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Trump Iran Peace Talks Claim:ટ્રમ્પની ‘પીસ રણનીતિ’ થી ઓઇલ માર્કેટમાં ખળભળાટ: શું ઈરાન પરમાણુ કરાર પર ઝૂકશે કે યુદ્ધના વાદળો ઘેરાશે?

કન્યા પૂજન કેવી રીતે કરવું?

દુર્ગા અષ્ટમીના પાવન દિવસે કન્યા પૂજનની વિધિ નીચે મુજબ છે:
૧. આમંત્રણ: ૨ થી ૧૦ વર્ષની વયની નવ કન્યાઓને ઘરે બોલાવવામાં આવે છે, જેમને મા દુર્ગાના નવ સ્વરૂપો માનવામાં આવે છે.
૨. પદ પ્રક્ષાલન: સૌથી પહેલા કન્યાઓના પગ ધોઈને તેમને આસન પર બેસાડવામાં આવે છે.
૩. તિલક અને પૂજન: તેમના માથા પર કુમકુમનું તિલક લગાવીને હાથમાં રક્ષા પોટલી (નાડાછડી) બાંધવામાં આવે છે.
૪. ભોજન: કન્યાઓને સાત્વિક ભોજન જેમ કે પૂરી, હલવો અને ચણા પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે.
૫. દક્ષિણા અને આશીર્વાદ: ભોજન બાદ કન્યાઓને તેમની ઈચ્છા મુજબ ઉપહાર કે દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે.

મા મહાગૌરી ની પૂજાનું મહત્વ

નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરી ની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપ ધોવાઈ જાય છે અને મન પવિત્ર બને છે. સફેદ વસ્ત્ર અને આભૂષણો ધારણ કરનાર માતાનું આ સ્વરૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે હવન કરવાનું પણ વિશેષ મહત્વ છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

Significance of Mukhagni in Hinduism અંતિમ સંસ્કાર સમયે મુખાગ્નિ કેમ આપવામાં આવે છે? ગરુડ પુરાણ અનુસાર તેનું રહસ્ય અને મહત્વ
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Exit mobile version