Site icon News Continuous Bureau | Mumbai

શરદપૂનમે ચંદ્રગ્રહણ: નવ વર્ષ પછી બન્યો આ યોગ, જાણો આ વખતે દૂધપૌંઆ ખાવા કે નહીં?

શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશ નીચે દૂધ પૌંઆ રાખવાની પરંપરા છે, પરંતુ ગ્રહણને કારણે લોકોના મૂંઝવણ છે કે 28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા પણ છે અને ચંદ્રગ્રહણ પણ, તો હવે બહાર દૂધ પૈઆ ખાવા જોઇએ કે નહીં?

sharadpoonam

sharadpoonam

News Continuous Bureau | Mumbai 

વર્ષ 2023નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાના દિવસે થવા જઇ રહ્યુ છે. આ ઘટના નવ વર્ષ પછી બની રહી છે, જ્યારે શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણની તારીખ એક જ છે. શરદ પૂર્ણિમા(Sharadpoonam)ના દિવસે ખુલ્લા આકાશ નીચે દૂધ પૌંઆ રાખવાની પરંપરા છે, પરંતુ ગ્રહણને કારણે લોકોના મૂંઝવણ છે કે 28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા પણ છે અને ચંદ્રગ્રહણ પણ, તો હવે બહાર દૂધ પૈઆ ખાવા જોઇએ કે નહીં?

ચંદ્રગ્રહણ 2023નો સમય

ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ(Chandragrahan) ભારતના તમામ શહેરોમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે જે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના દિવસે બપોર પછી શરૂ થશે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌંઆ ખાવા કે નહીં?

માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની ચમક જોવા જેવી હોય છે અને આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે, દૂધ પૌંઆ બનાવવા કે પછી દૂધ પૌંઆ(Dudhpoha) ખાવાની પરંપરા છે, જે બનાવીને રાત્રે ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે, પરંતુ ગ્રહણની છાયાને કારણે આ વર્ષે તમારે ચંદ્રગ્રહણ અને સૂતક દરમિયાન બહાર દૂધ પૌંઆ ન રાખવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ચંદ્રના કિરણો (Moon rays) પ્રદૂષિત થઈ જાય છે. તેની અસર શરીર પર નકારાત્મક પડે છે. સુતક અને ગ્રહણના સમયમાં ધાર્મિક કાર્યો કરવા પર પણ પ્રતિબંધ છે. સુતક લાગે તે પહેલા તમે દૂધ પૌંઆ બનાવી શકો છો અને તેમાં તુલસી ઉમેરીને ઘરમાં રાખી શકો છો. ગ્રહણ સમાપ્ત થયા પછી, દૂધ પૌંઆને થોડા સમય માટે ખુલ્લા આકાશ નીચે રાખો. તમે બીજા દિવસે ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો.

દૂધ પૌંઆ શાં માટે ખાવામાં આવે છે?

ચોખામાં જળનો ભાગ છે અને તે સફેદ રંગ પણ ધરાવે છે. ચોખા લગભગ દરેક જગ્યાએ ઉપયોગી થતા હોવાથી તેનું ધાર્મિક મહત્વ (Religious Significance) પણ છે. આ માટે દૂધ સાથે ચોખા કે ચોખાની બનાવટ પૌંઆનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધ અને પૌંઆ ભેગા કરી તેમાં સાકર નાખી રાત્રે ચંદ્ર ને પ્રસાદી રૂપે અર્પણ કરાય છે કેમકે ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે પણ પૂજીએ છીએ, જે આપણા મન પર પણ અસર કરે છે. ચંદ્રની સામે દૂધ પૌંઆ અને સાકર અર્પણ કરવાથી ચંદ્રના કિરણોમાં રહેલા અમૃતનો પ્રભાવ પણ પડે છે.

આ સમાચાર પણ વાંચોઃ Infinix Note 30 Pro Limited Edition: લોન્ચ થયો નોટ 30 પ્રોનો નવો અવતાર, જાણો કિંમત અને ફિચર્સ

Join Our WhatsApp Channel
Vastu Tips for Shoe Rack શું તમારા ઘરમાં પણ શૂ રેક ખોટી દિશામાં છે? આવી શકે છે આર્થિક કંગાળી
Ujjain Mahakal Temple Record Donation મહાકાલના દરબારમાં કુબેરનો ભંડાર! ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, સોનાચાંદી અને રોકડનો આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
Nirjala Ekadashi નિર્જલા એકાદશીના દિવસે કરો આ ખાસ ઉપાય, આર્થિક સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે છે અતિ ફળદાયી
Nirjala Ekadashi 2026 Bhimseni Ekadashi એક જ વ્રતથી મળશે બધી એકાદશીનું પુણ્ય! જાણો નિર્જલા એકાદશીનું મહત્વ અને ભીમસેની કથા
Exit mobile version