Site icon News Continuous Bureau | Mumbai

Navratri 2023: આજે નવરાત્રીનું પાંચમું નોરતુ, આ રીતે કરો મા સ્કંદમાતાની પૂજા-અર્ચના..

Navratri 2023:નવરાત્રિના પાંચમા દિવસે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Fifth day of Navratri , know about puja vidhi, mantra, bhog

Fifth day of Navratri , know about puja vidhi, mantra, bhog

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: નવરાત્રિના પાંચમા દિવસે(Day 5) મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો(Skandmata) અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય[૧]). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. ચાલો જાણીએ નવરાત્રિની પાંચમી દેવીના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી, પૂજા કરવાની પદ્ધતિ (પૂજાવિધિ), મંત્ર(mantra) અને માતાને શું ચઢાવવું જોઈએ…

Join Our WhatsApp Channel

માતા સ્કંદમાતાને આ ભોગ અર્પણ કરો.

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાને કેળા અને કેળામાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તમે કેળાની ખીર બનાવીને દેવીને અર્પણ કરી શકો છો.

કેળાનો હલવો રેસીપી

પાંચ કેળાની છાલ કાઢીને એક ઇંચના ટુકડા કરી લો. એક તપેલીને ગેસ પર રાખો અને તેમાં એક કપ ઘી ઉમેરીને ગરમ કરો. ઘીમાં સમારેલા અને છૂંદેલા કેળા ઉમેરો. થોડી વાર શેકી લો અને એક કપ ખાંડ ઉમેરો. હવે તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં એલચી પાવડર ઉમેરો.

આ સમાચાર પણ વાંચો : Hair Care : આ પાંદડા પાતળા વાળને બનાવે છે જાડા અને લાંબા, જાણો તેનું નામ અને ઉપયોગ..

મા સ્કંદમાતા પૂજા વિધિ

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. પૂજા માટે, તમારા હાથમાં લાલ ફૂલો સાથે દેવી સ્કંદમાતાને સ્મરણ કરો. અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ, બતાશા, સોપારી, લવિંગ દેવીને અર્પણ કરો. માતાની આરતી કરો, શંખ ફૂંકો અને મંત્રોનો જાપ કરો.

મા સ્કંદમાતાની પૂજા નિમ્ન લિખિત મંત્રથી આરંભ કરવી જોઈએ. સ્કંદમાતાની પૂજામાં ઘનુષ બાણ અર્પિત કરવાનું મહત્વ છે. તેમને સુહાગનો સામાન જેમકે લાલ ચુંદડી, સિંદૂર, નેલપોલિશ, ચાંદલો, મહેંદી, લાલ બંગડી, લિપસ્ટિક અર્પણ કરવાનું મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે લાલ વસ્ત્રમાં માતાને આ દરેક સામગ્રી લાલ ફૂલ અને ચોખા સાથે અર્પણ કરવી જોઈએ. મા સ્કંદમાતાની પૂજા કરવાથી મહિલાઓના સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.
या देवी सर्वभू‍तेषु मां स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

માતા સ્કંદમાતાનો મંત્ર જાપ

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||

Nirjala Ekadashi નિર્જલા એકાદશીના દિવસે કરો આ ખાસ ઉપાય, આર્થિક સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે છે અતિ ફળદાયી
Nirjala Ekadashi 2026 Bhimseni Ekadashi એક જ વ્રતથી મળશે બધી એકાદશીનું પુણ્ય! જાણો નિર્જલા એકાદશીનું મહત્વ અને ભીમસેની કથા
Mahabharat Powerful Women Facts મહાભારતના યુદ્ધમાં પુરુષો જ નહીં, આ સ્ત્રીઓ પાસે પણ હતી અકલ્પનીય દૈવી શક્તિઓ; જાણો તેમની રોચક વાતો
Chandra Grahan on Raksha Bandhan 2026 ભાઈબહેનના પવિત્ર તહેવાર પર વર્ષનું છેલ્લું ગ્રહણ! શું ભાઈના કાંડે રાખડી બાંધી શકાશે? ભૂલથી પણ ન કરતા આ કામ
Exit mobile version