Site icon News Continuous Bureau | Mumbai

Shiva Mahapuran Katha: મુંબઈ ના કાંદિવલી પશ્ચિમ માં શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન: 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી

Shiva Mahapuran Katha: પૂજ્ય સંત શ્રી ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શિવ કથાનું વાંચન થશે. યોગ ગુરુ સ્વામી શ્રી રામદેવજી મહારાજ અને કવિ કુમાર વિશ્વાસ સહિત અનેક મહાનુભાવોની હાજરી રહેશે

Grand organization of Shri Shiv Mahapuran Katha in Kandivali (Mumbai) — From November 26 to December 4

Grand organization of Shri Shiv Mahapuran Katha in Kandivali (Mumbai) — From November 26 to December 4

News Continuous Bureau | Mumbai

Shiva Mahapuran Katha: વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ, શાખા મુંબઈ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન આગામી 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ ખાતે સપ્તાહ ક્રીડા મેદાન (કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, પોઇસર જીમખાના રોડ) માં કરવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

કથાનું વાચન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મયાનંદ બાપુજીના મધુર સ્વરે થશે. ગયા વર્ષે પૂજ્ય બાપુજીના સાનિધ્યમાં યોજાયેલી શ્રી રામ કથાની અપાર સફળતા બાદ ભક્તોની ખાસ માંગ પર વર્ષે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજનની માહિતી આપવા માટે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના પદાધિકારીઓ અને આયોજન સમિતિના સભ્યોએ મીડિયા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

 

કથાની મુખ્ય વિશેષતાઓ અને કાર્યક્રમ

 

તારીખ દિવસ સમય કાર્યક્રમ વિશેષ વિગત
૨૬ નવેમ્બર મંગળવાર બપોરે ૧:૩૦ વાગ્યે વિશાળ શોભાયાત્રા / કળશ યાત્રા હજારો માતાઓ કળશ લઈને શોભાયાત્રામાં ભાગ લેશે
૨૮ નવેમ્બર ગુરુવાર સાંજે ૭:૦૦ વાગ્યે ભવ્ય લોક ડાયરો અને ભજન સંધ્યા પ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવી ની પ્રસ્તુતિ
ચોથો દિવસ કથા દરમિયાન શિવ વિવાહ ઉત્સવ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહ પ્રસંગનું વર્ણન અને ઝાંખી
પાંચમો દિવસ કથા દરમિયાન ગણેશ જન્મોત્સવ ભગવાન ગણેશ જન્મોત્સવનો પ્રસંગ
ડિસેમ્બર રવિવાર કથા દરમિયાન કવિ સંમેલન અને વિશેષ હાજરી યુગ કવિ ડો. કુમાર વિશ્વાસ અને કવયિત્રી કવિતા તિવારીજીની પાવન હાજરી
ડિસેમ્બર સોમવાર સાંજે ૭:૦૦ વાગ્યે હાસ્ય કવિ સંમેલન કવિ શ્રી દિનેશ બાબરા, શ્રી શંભુ શેખર, શ્રી સુનીલ બોલા, અને અન્ય પ્રસિદ્ધ કવિ
ડિસેમ્બર બુધવાર કથા દરમિયાન પૂજ્ય બાપુજીનો જન્મોત્સવ શિવ મહાપુરાણ કથાનું સમાપન અને વિશેષ પૂજન
ડિસેમ્બર બુધવાર કથા દરમિયાન દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન ઉત્સવ દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખી
ડિસેમ્બર બુધવાર કથા દરમિયાન વિશેષ અતિથિ યોગગુરુ સ્વામી શ્રી રામદેવજી મહારાજની પાવન આશીર્વાદ
કોઈ એક દિવસ કથા દરમિયાન શિવ ભક્ત અભિનેતા શ્રી આશુતોષ રાણાજીની હાજરી (સંભવતઃ શિવ તાંડવની પ્રસ્તુતિ)
દરરોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યે શ્રી શિવ મહાપુરાણ કથા પૂજ્ય સંત શ્રી ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે

 

કથાની શરૂઆત એટલે કે દીપ પ્રાગટ્ય અને રથયાત્રામાં વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી પધારશે અને આશીર્વચન આપશે.

કાર્યક્રમની પૃષ્ઠભૂમિ અને ઉદ્દેશ્ય

વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટની મુંબઈ શાખાની સ્થાપના ગયા વર્ષે શ્રી રામ કથા દરમિયાન પૂજ્ય બાપુજીના સાનિધ્યમાં થઈ હતી. વર્ષે આયોજન પૂજ્ય બાપુજીના જન્મોત્સવ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે.કથાના માધ્યમથી ભગવાન શિવના દિવ્ય ચરિત્રો, સૃષ્ટિના રહસ્યો અને જીવનના આદર્શોનું વર્ણન કરવામાં આવશે. આયોજન વિશ્વ શાંતિ, ધર્મ સંવર્ધન અને ગૌ સેવાના ઉદ્દેશ્યને સમર્પિત છે. ઉપરાંત કથા દરમિયાન શ્રીનાથજીની ઝાંખી, અને ગોવર્ધન પૂજા સહિત ભગવાનના અનેક સ્વરૂપોના દિવ્ય દર્શન થશે.કાર્યક્રમનો ઉદ્દેશ્ય હરિદ્વાર સ્થિત ગૌશાળામાં ગાયોની સેવા માટે ભંડોળ એકત્રિત કરવાનો છે.

 

મુખ્ય યજમાન અને આયોજન સમિતિ

 

 

Vastu Tips Empty Bank Account ખૂબ કમાણી પછી પણ બચત નથી થતી? અપનાવો આ ૫ આસાન ઉપાય, વધવા લાગશે બેંક બેલેન્સ
Raksha Bandhan Timing રાખડી બાંધવાનો સાચો સમય કયો? ૨૮ ઓગસ્ટની સવારે જ કેમ મનાવાશે રક્ષાબંધન? જાણો
Ayodhya Ram Mandir Donation અયોધ્યા રામમંદિરમાં મહિલાનું મોટું દાન ૪ કરોડનો ચેક આપ્યો, પણ મૂકી આ ખાસ શરત
Putrada Ekadashi 2026 આવતીકાલે છે શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને વ્રત કથા..
Exit mobile version