Site icon News Continuous Bureau | Mumbai

Hanuman Jayanti 2026:હનુમાન જયંતિ પર રાશિ અનુસાર દાનનું અનેરું મહત્વ: જાણો કઈ રાશિના જાતકોએ શું અર્પણ કરવું જોઈએ?

Hanuman Jayanti 2026:હનુમાન જન્મોત્સવ પર દાન-ધર્મનું વિશેષ મહત્વ; જાણો કઈ રાશિના જાતકોએ શું દાન કરવું જોઈએ જેથી શનિદોષ અને જીવનની મુશ્કેલીઓમાંથી મળે મુક્તિ.

Hanuman Jayanti 2026: Donate these items according to your Zodiac sign for Sankat Mochan’s blessings.

Hanuman Jayanti 2026: Donate these items according to your Zodiac sign for Sankat Mochan’s blessings.

News Continuous Bureau | Mumbai
Hanuman Jayanti 2026: હિન્દુ ધર્મમાં હનુમાન જન્મોત્સવનો પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. વર્ષ 2026 માં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો વ્રત, પૂજા-અર્ચના અને સુંદરકાંડના પાઠ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે પોતાની રાશિ મુજબ દાન કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી પરેશાનીઓ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે.

રાશિ મુજબ દાનના અચૂક ઉપાયો

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, જો તમે તમારી રાશિ પ્રમાણે નીચે મુજબની વસ્તુઓનું દાન કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે:
મેષ: દાડમ, ટામેટા, ઘઉં અથવા રાગીનું દાન કરવું શ્રેષ્ઠ છે.
વૃષભ: દૂધ, દહીં, ચોખા, લોટ અથવા મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
મિથુન: લીલા શાકભાજી, આખી મગની દાળ અને ફળોના દાનથી આત્મવિશ્વાસ વધે છે.
કર્ક: ચોખા, નારિયેળ અને ખાંડના દાનથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
સિંહ: સફરજન, ગોળ અને મગફળીનું દાન સકારાત્મક ઉર્જા આપે છે.
કન્યા: લીલા ફળો, મગ અને શરબતનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?

તુલા થી મીન રાશિ માટે દાનનું મહત્વ

તુલા: સફેદ કપડાં, ખાંડ અને સુગંધિત વસ્તુઓના દાનથી ગ્રહદોષમાં રાહત મળે છે.
વૃશ્ચિક: લાલ ચંદન, મસૂરની દાળ અને તાંબાના વાસણોનું દાન કરવું લાભકારી છે.
ધનુ: ચણાની દાળ, બેસનના લાડુ અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વિશેષ કૃપા મળે છે.
મકર: કાળા તલ, ધાબળા અથવા સ્ટીલના વાસણોનું દાન નકારાત્મકતા ઘટાડે છે.
કુંભ: આ દિવસે બેગ અથવા છત્રીનું દાન કરવું શુભ છે, જેનાથી શનિ સંબંધિત દોષ ઓછા થાય છે.
મીન: ખીચડી બનાવીને જરૂરિયાતમંદોને ખવડાવવી અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે.

 હનુમાનજીની કૃપા મેળવવાનો રૂડો અવસર

હનુમાન જયંતિ પર માત્ર દાન જ નહીં, પણ રામચરિત માનસના પાઠ અને હનુમાન ચાલીસાના જાપનું પણ અનેરું મહત્વ છે. મંદિરોમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. જે લોકો શનિની પનૌતી કે સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે આ દિવસે રાશિ મુજબ દાન કરવું આશીર્વાદ સમાન સાબિત થાય છે.

Putrada Ekadashi 2026 આવતીકાલે છે શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને વ્રત કથા..
Raksha Bandhan 2026 ભદ્રા કે ગ્રહણ નહીં, રક્ષાબંધન પર પંચકનો પડછાયો; જાણી લો રાખડી બાંધવાના બે શ્રેષ્ઠ શુભ મુહૂર્ત
Superstition and Traditions India શુકનઅપશુકનની વાતો ઘર બહાર નીકળતી વખતે વ્યક્તિને પાછળથી અટકાવવાની માન્યતા પાછળનું વિજ્ઞાન અને હકીકત
Maa Parvati Joke Mystery માતા પાર્વતીના એક મજાકથી કેમ આખા બ્રહ્માંડમાં છવાઈ ગયું હતું અંધારું? જાણો મહાદેવની ત્રીજી આંખનું રહસ્ય!
Exit mobile version