Site icon

Jagannath Rath Yatra 2025: અમદાવાદમાં 148મી ભવ્ય યાત્રાનું આયોજન

Jagannath Rath Yatra 2025: Ahmedabad Hosts 148th Grand Procession

Jagannath Rath Yatra 2025: Ahmedabad Hosts 148th Grand Procession

News Continuous Bureau | Mumbai

Jagannath Rath Yatra 2025: આજ રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા (Rath Yatra) ભવ્ય રીતે યોજાઈ રહી છે. રથયાત્રા સવારે મંદિરથી શરૂ થઈ અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. લાખો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. યાત્રામાં ટ્રકો, ઘોડા, હાથી અને ભજન મંડળીઓનો સમાવેશ થયો છે. સુરક્ષા માટે પોલીસ અને SRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

રથયાત્રાની વિશેષતાઓ

આ વર્ષે રથયાત્રામાં 100થી વધુ ટ્રકો અને 18 હાથીઓનો સમાવેશ થયો છે. યાત્રા માટે ખાસ ભજન મંડળીઓ દ્વારા ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા માર્ગ પર 25થી વધુ આરોગ્ય કેમ્પ  અને પાણીના સ્ટોલ  મૂકવામાં આવ્યા છે.અમદાવાદ પોલીસ  દ્વારા 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન અને CCTV કેમેરા દ્વારા યાત્રાની નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ભક્તોની ભાવનાઓ

ભક્તો રથયાત્રા માટે રાત્રિથી જ મંદિર પાસે ભેગા થવા લાગ્યા હતા. ઘણા ભક્તો પગપાળા યાત્રા કરે છે અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહે છે. યાત્રા દરમિયાન ભક્તિ ભાવના અને સમર્પણનો માહોલ જોવા મળે છે

Exit mobile version