Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: સીતા માતાનું આ મંદિર મહિલાઓ માટે છે ખાસ.. આ મંદિરનું સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે..

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ છે. ત્યારે જાણો માતા સીતાનું એક એવા મંદિર વિશે.. જ્યાં ભગવાન રામ અને સીતા પરણ્યા હતા..

Ram Mandir This temple of mother Sita is specially for women.. Applying vermilion to this temple increases the life of the husband

Ram Mandir This temple of mother Sita is specially for women.. Applying vermilion to this temple increases the life of the husband

News Continuous Bureau | Mumbai

Ram Mandir: 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક અયોધ્યાના રામમંદિરમાં થવા જઈ રહ્યો છે. હાલમાં સમગ્ર દેશ ભગવાન રામચંદ્ર અને માતા સીતાની ( Sita ) ભક્તિમાં મગ્ન છે. અત્યારે દરેક જગ્યાએ ભક્તિમય વાતાવરણ છે, ત્યારે અમે તમને સીતા માતાના એક પ્રખ્યાત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર પરિણીત મહિલાઓ ( married women ) માટે ખૂબ જ ખાસ છે.

Join Our WhatsApp Channel

મા જાનકીનું મંદિર ( Janaki Mandir ) નેપાળના ( Nepal ) જનકપુર ધામમાં આવેલું છે. આ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી 400 કિમીના અંતરે આવેલું છે. આ મંદિરમાં હિંદુ સમુદાયઓ (  Hindu communities ) ભારે રસ લે છે. આ મંદિરનું નામ સીતાના પિતા રાજા જનકના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રખ્યાત સીતા માતાનું આ મંદિર 4860 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

 આ મંદિરમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે….

ધાર્મિક માન્યતા અનુસાર જાનકી મંદિર મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિરમાં સિંદૂરનું ( sindoor ) વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો આ મંદિરમાંથી સિંદૂર લગાવવામાં આવે. તો પતિનું આયુષ્ય લાંબુ બને છે. આ મંદિરમાં સિંદૂર વિવાહિત જીવનમાં શાશ્વત સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે.

આ સમાચાર પણ વાંચો :  Deep cleaning Drive : મુખ્યમંત્રી શિંદેએ બીએમસીને પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ સુધી મુંબઈના દરેક વોર્ડમાં આટલા મંદિરોને સાફ કરવાનો આપ્યો આદેશ.

જાનકી મંદિરની નજીક એ જગ્યા છે. જ્યાં ભગવાન રામચંદ્ર અને માતા સીતાના લગ્ન થયા હતા. આ લગ્નના કુંડાને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ લગ્ન મંડપના દર્શન કર્યા પછી, અહીં સિંદૂર લગાવ્યા પછી, પરિણીત સ્ત્રી કાયમ માટે ધન્ય બની રહે છે. એટલા માટે અહીં સિંદૂર ખાસ કરીને મહિલાઓમાં લોકપ્રિય છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અહીંનું સિંદૂર લગાવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Padmini Ekadashi Vrat Katha 2026। પદ્મિની એકાદશીના દિવસે આ કથા વાંચવાથી ચમકશે નસીબ! ભગવાન વિષ્ણુ દૂર કરશે તમામ કષ્ટો, જાણો પૂજા વિધિ
Indus Waters Treaty India Pakistan। પાકિસ્તાન ઘૂંટણીયે! સિંધુ જળ સંધિમાં ભારતના કડક વલણથી ફફડેલા પાકિસ્તાને ગ્લોબલ સ્ટેજ પરથી હાથ જોડીને કરી આ અપીલ
Byju Raveendran Jail। કરોડોની સંપત્તિ છુપાવવી ભારે પડી Byju’s ના માલિક બાયજુ રવીન્દ્રનને જેલ અને લાખોનો દંડ, આંતરરાષ્ટ્રીય કોર્ટનો મોટો આદેશ
US Iran War Bandar Abbas 2026| મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા ઈરાનના બંદર અબ્બાસ પર અમેરિકાનો મોટો હુમલો, F35 ફાઇટર જેટને ભગાડ્યાનો ઈરાનનો દાવો
Exit mobile version