Site icon News Continuous Bureau | Mumbai

Ram Navami 2024 Date: આ વર્ષે રામ નવમી ક્યારે છે, શુ રહેશે આ વખતે તિથિ, પૂજા વિધિ અને મહત્વ

Ram Navami 2024 Date: ચૈત્ર મહિનાની નવમી તિથિ 16 એપ્રિલ મંગળવારના રોજ બપોરે 1:23 વાગ્યે શરૂ થશે. આ વખતે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આવો જાણીએ રામનવમી ક્યારે છે?

Ram Navami 2024 Date When is Ram Navami this year, what will be the tithi, pooja rituals and significance this year.

Ram Navami 2024 Date When is Ram Navami this year, what will be the tithi, pooja rituals and significance this year.

  News Continuous Bureau | Mumbai 

Ram Navami 2024 Date: દેશમાં રામ નવમીનો તહેવાર ભગવાન શ્રી રામની ( Lord Ram ) જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ મુજબ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી પર કર્ક લગ્ન અને અભિજાત મુહૂર્તમાં થયો હતો. ચૈત્ર મહિનામાં નવરાત્રિનો છેલ્લો દિવસ રામ નવમી તરીકે ઉજવામાં આવે છે. રામ નવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આવો જાણીએ રામનવમી ક્યારે છે? 

Join Our WhatsApp Channel

પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાની નવમી તિથિ ( 16 એપ્રિલ મંગળવારના રોજ બપોરે 1:23 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ ( navami tithi ) 17 એપ્રિલે બપોરે 3:15 વાગ્યાથી શરૂ થશે. રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે કારણ કે નવમી તિથિ ઉદયા તિથિ પર આવે છે. 17 એપ્રિલે રવિ યોગ થશે.

 આ દિવસે ભગવાન શ્રી રામના મંદિરમાં જવું જોઈએ,,,

ભગવાન શ્રી રામની કૃપા મેળવવા માટે આ દિવસે રામાયણ ( Ramayana ) પાઠ અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. આ દિવસે ભગવાન શ્રી રામના મંદિરમાં જવું જોઈએ અને ત્યાં પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. પીળા ફૂલોની માળા પણ અર્પણ કરવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : NASA Warning For Solar Eclipse: સાવધાન! સૂર્યગ્રહણ તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે, નાસાની ચેતવણી..

રામ નવમીની પૂજા ( Puja ) ઘરે કેવી રીતે કરવી?

-જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરમાં પૂજા કરી શકાય છે.
-પૂજા માટે સૌ પ્રથમ લાકડાનું ચૌરાંગ લો.
-તેના પર લાલ કપડું મૂકો.
-ત્યાર બાદ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા, હનુમાનની મૂર્તિઓને ગંગા જળથી શુદ્ધ કરીને ચૌરાંગ પર સ્થાપિત કરો.
-ત્યારબાદ ચંદન લગાવો.
-ત્યાર બાદ પૂજાની સામગ્રી જેમ કે અક્ષતા, ફૂલ મુકો.
-પછી ઘીનો દીવો પ્રગટાવો અને રામ રક્ષા સ્તોત્ર, શ્રી રામ ચાલીસા અને રામાયણના શ્લોકોનો પાઠ કરો.
-જો તમે ઈચ્છો તો આ દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના શ્લોકનો પાઠ પણ કરી શકો છો.

Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Vaishno Devi Silver Scandal વૈષ્ણોદેવી માતાના દરબારમાં આસ્થા સાથે છેડા? 500 કરોડની ચાંદીની શુદ્ધતા પર સવાલ, તપાસના આદેશ..
Jagannath Puri Mysteries રહસ્યોની નગરી જગન્નાથ પુરી, જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ફેલ, અકબંધ છે આ અલૌકિક ચમત્કારો.
Metal Turtle Benefits વાસ્તુ ટીપ ઘરમાં કાચબો રાખવાથી દૂર થશે નકારાત્મકતા, જાણો સાચી દિશા અને તેના ફાયદા.
Exit mobile version