Site icon News Continuous Bureau | Mumbai

Ram Navami 2024 :  આજે રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, તમે ઘરે બેઠા સૂર્ય તિલક જોઈ શકશો લાઈવ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 

 Ram Navami 2024 :  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે માત્ર રામ જન્મોત્સવના દિવસે એટલે કે 17મી એપ્રિલે દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. રામ જન્મોત્સવના દિવસે સવારે 3:30 વાગ્યાથી ભક્તો દર્શન માટે લાઈનમાં ઉભા રહી શકશે. આજે રાત્રે 11 વાગ્યા સુધી શણગાર, રામ ભોગ  અને દર્શન ચાલુ રહેશે.

Ram Navami 2024 Ram Lalla's 'Divya Abhishek' Done, India Now Eyes 'Surya Tilak' 

Ram Navami 2024 Ram Lalla's 'Divya Abhishek' Done, India Now Eyes 'Surya Tilak' 

 News Continuous Bureau | Mumbai 

Ram Navami 2024 : આજે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ રહેશે. 500 વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. અહીં સૂર્યદેવ સ્વયં ભગવાન શ્રી રામના કપાળ પર તિલક લગાવશે. બપોરે 12.16 વાગ્યે લગભગ પાંચ મિનિટ સુધી ભગવાન રામલલાના કપાળ પર સૂર્યના કિરણો પડશે, આ માટે મહત્વપૂર્ણ તકનીકી વ્યવસ્થા કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

Ram Navami 2024 : રામલલા ભક્તોને 19 કલાક દર્શન આપશે  

વૈજ્ઞાનિકો આ અલૌકિક ક્ષણોને સંપૂર્ણ ભવ્યતામાં પ્રદર્શિત કરવામાં વ્યસ્ત છે.  રામનવમીના દિવસે રામલાલ ભક્તોને 19 કલાક દર્શન આપશે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે માત્ર રામ જન્મોત્સવના દિવસે એટલે કે 17મી એપ્રિલે દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. રામ જન્મોત્સવના દિવસે સવારે 3:30 વાગ્યાથી ભક્તો દર્શન માટે લાઈનમાં ઉભા રહી શકશે. આજે રાત્રે 11 વાગ્યા સુધી શણગાર, રામ ભોગ  અને દર્શન ચાલુ રહેશે.

Ram Navami 2024 : ક્યારે થશે સૂર્ય તિલક 

બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો રામલલાના મસ્તક પર પડશે. સતત ચાર મિનિટ સુધી  રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક કરાશે. એટલે કે સૂર્યપ્રકાશના કિરણો રામલલા પર એવી રીતે પડશે કે જાણે ભગવાન રામને સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હોય.  વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના કાચ અને લેન્સ આધારિત ઉપકરણ ડિઝાઈન કર્યું છે. જેના દ્વારા સૂર્યકિરણ સીધા રામલલાની મૂર્તિના કપાળ પર જ પડશે. તેને સત્તાવાર રીતે ‘સૂર્ય તિલક પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.લગભગ 100 LED સ્ક્રીન દ્વારા તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Rama Navami : રામ નવમી એ એક હિન્દુ વસંત તહેવાર છે જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરે છે.

Ram Navami 2024 : આજનો રામ મંદિરનો કાર્યક્રમ 

શ્રી રામ નવમી મહોત્સવ દરમિયાન મંગળા આરતી પછી બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:30 વાગ્યાથી અભિષેક, શ્રૃંગાર અને દર્શન એક સાથે ચાલુ રહેશે. સવારે 5:00 કલાકે શ્રીંગાર આરતી થશે. શ્રી રામલલાના દર્શન અને તમામ પૂજા વિધિ પહેલાની જેમ જ ચાલુ રહેશે. ભગવાનને ભોગ અર્પણ કરવા માટે સમયાંતરે ટૂંકા ગાળા માટે પડદો રહેશે. રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનનો ક્રમ ચાલુ રહેશે. આ પછી સંજોગો પ્રમાણે ભોગ અને શયન આરતી થશે. રામ નવમી પર શયન આરતી પછી, મંદિરમાંથી બહાર નીકળતી વખતે પ્રસાદ મળશે. 

Kedarnath Dham। કેદારનાથનો લુપ્ત ‘રેતસ કુંડ’ ચમત્કારિક પરપોટા અને શિવ ભક્તિની આ ગાથા જાણીને તમે પણ ચોંકી જશો
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
Gold Rate Update સોનાના ભાવ આસમાને, ફરી એકવાર તેજીની દોડ; જાણો લેટેસ્ટ ભાવ
AAP Defection| AAP ને મોટો ઝટકો રાઘવ ચઢ્ઢા સહિત ૩ સાંસદો ભાજપમાં, પક્ષ હવે કરશે કાર્યવાહી
Exit mobile version