Site icon News Continuous Bureau | Mumbai

Rama Ekadashi 2023: આજે રમા એકાદશી પર બની રહ્યાં છે આ 4 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય સાથે અન્ય વિગત

આ વર્ષે રમા એકાદશી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે, જે ઉપવાસ કરનારને આર્થિક લાભ આપશે

Rama ekadashi 2023

Rama ekadashi 2023

News Continuous Bureau | Mumbai 

રમા એકાદશી દિવાળી પહેલા આવે છે, તેથી આ વ્રતનું વિશેષ મહત્વ છે. આ વર્ષે રમા એકાદશી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે, જે ઉપવાસ કરનારને આર્થિક લાભ આપશે. તો જાણીએ રમા એકાદશી(Rama Ekadashi 2023)ની તિથિ, યોગ, શુભ સમય.

 

Join Our WhatsApp Channel
વિષ્ણુ પુરાણ અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર રમા એકાદશી આવે છે. સામાન્ય રીતે તે દિવાળી(Diwali 2023) ના ચાર દિવસ પહેલા પડે છે. આ વ્રત કરવાની સાથે  ભગવાન લક્ષ્મીના પતિ રામ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

 

પુરાણો અનુસાર રમા એકાદશીના ઉપવાસ(fasting)થી કામધેનુ ગાયને ઘરમાં રાખવા જેવું જ ફળ મળે છે. આ વ્રત રાખવાથી સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વર્ષે રમા એકાદશી પર  શુભ યોગ(Shubh yog)નો સંયોગ થઇ રહ્યો છે.

 

રમા એકાદશી 2023 શુભ મુહૂર્ત

  • કારતક કૃષ્ણ એકાદશી તારીખ શરૂ થાય છે – 8 નવેમ્બર 2023, સવારે 08:23
  • કાર્તિક કૃષ્ણ એકાદશી તારીખ સમાપ્ત થાય છે – 9 નવેમ્બર 2023, સવારે 10.41 કલાકે
  • પૂજા સમય – 06.39 am – 08.00 am (9 નવેમ્બર 2023)
  • વ્રતના પારણાનો સમય – 06.39 am – 08.50 am (10 નવેમ્બર 2023)
  • દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે – બપોરે 12.35 કલાકે (10 નવેમ્બર 2023)

રમા એકાદશીના શુભ યોગ

આ વખતે રમા એકાદશી ગુરુવારે આવી રહી છે, જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ(kalatmak Yog) બની રહ્યો છે. કેટલીક રાશિઓને કલાત્મક યોગ દ્વારા સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે. અને આ દિવસે તુલા રાશિમાં આ દિવસે સૂર્ય અને મંગળ પણ તુલા રાશિમાં સાથે રહેશે. સૂર્ય-મંગળનો સંયોગ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે મક્કમ હોય છે.

 

આ સાથે રમા એકાદશી પર ગોવત્સ દ્વાદશીનો સંયોગ પણ છે. આમાં ગાયની પૂજા કરવામાં આવે છે, તેને વાક બારસ પણ કહેવામાં આવે છે. ગાયની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે પ્રદોષકાલ(Pradoshkala) ગોવત્સ દ્વાદશી પૂજાનો શુભ સમય(time of puja) – સાંજે 05.30 – 08:08 કલાકે રહેશે.

રમા એકાદશી પર શું કરશો

  • રમા એકાદશીના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને લક્ષ્મી-નારાયણની પૂજા(Lakshmi-Narayana puja) કરો.
  • ભગવાન વિષ્ણુ(Lord Vishnu) અને માતા લક્ષ્મીને મખાનાની ખીર અર્પણ કરો, તેમાં તુલસીના પાન અવશ્ય નાખો.
  • રમા એકાદશીના દિવસે એકાક્ષી નાળિયેર ઘરે લાવીને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાયથી દેવી લક્ષ્મીજી ઘરમાં વાસ કરે છે.

 

આ સમાચાર પણ વાંચોઃ Diwali snack Recipes: મઠીયા અને ચોળાફળી વિના અધૂરી છે દિવાળી- ટ્રાય કરો આ સરળ રેસિપી

Garud Puran Rules For Deceased Person Belongings ભૂલથી પણ ન કરો આ ભૂલ! મૃત વ્યક્તિના કપડાં કે ઘરેણાં ઘરમાં રાખતા પહેલાં જાણી લો ગરુડ પુરાણના આ કડક નિયમો
Hindu Gods Divine Weapons શું તમે જાણો છો? ભગવાન શિવના ત્રિશૂળ અને શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર પાછળ છુપાયેલી છે બ્રહ્માંડની આ અકલ્પનીય શક્તિઓ!
Guru Nakshatra Parivartan ગુરુ ગ્રહ બદલશે ચાલ! પુષ્ય નક્ષત્રમાં ગોચરથી કઈ ૪ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ? વાંચો વિગતવાર
Vastu Shastra Plants ઘરમાં સુખસમૃદ્ધિ લાવવા માંગો છો? વાસ્તુશાસ્ત્ર મુજબ આ છોડ લગાવો અને બદલો નસીબ!
Exit mobile version