Site icon

Kalashtami: આ દિવસે છે કાલાષ્ટમી, કાલ ભૈરવ દેવની પૂજાનું મહત્ત્વ, વર્ષો પછી રચાઈ રહ્યો છે આ વિશેષ યોગ!

Kalashtami: પંચાંગ અનુસાર આ વર્ષે કાલાષ્ટમી 5 નવેમ્બરે ઊજવવામાં આવશે. દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલાષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવ દેવની પૂજા-અર્ચના કરે છે.

This day is Kalashtami, the importance of worshiping Lord Kal Bhairav, this special yoga is being formed after years!

This day is Kalashtami, the importance of worshiping Lord Kal Bhairav, this special yoga is being formed after years!

News Continuous Bureau | Mumbai

Kalashtami: પંચાંગ ( panchang ) અનુસાર આ વર્ષે કાલાષ્ટમી 5 નવેમ્બરે ઊજવવામાં આવશે. દર મહિને કૃષ્ણ પક્ષની ( Krishna Paksh ) અષ્ટમી ( Ashtami ) તિથિએ કાલાષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવ દેવની પૂજા-અર્ચના કરે છે. ઉપરાંત, ઉપવાસ પણ કરે છે. જ્યોતિષીઓના મુજબ, આ વખતે કાલાષ્ટમી તિથિ પર દુર્લભ ‘રવિ પુષ્ય યોગ’ સહિત અનેક અદ્ભુત સંયોગ બની રહ્યા છે. આ યોગોમાં કાલ ભૈરવ દેવની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળી શકે છે.

Join Our WhatsApp Community

શુક્લ યોગ ( Shukla Yoga )

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કારતક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર શુક્લ યોગ રચાઈ રહ્યો છે. શુક્લ યોગની રચના 05 નવેમ્બરે બપોરે 01:37થી 06 નવેમ્બરના રોજ બપોરે 02:27 સુધી છે. આ સમય દરમિયાન, ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું અનેરું મહત્ત્વ છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

આ વખતે કાલાષ્ટમી તિથિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગની રચના સવારે 06:36થી 10:29 સુધી છે. આ સમય દરમિયાન કાલ ભૈરવ દેવની પૂજા કરવાથી તમામ શુભ કાર્યોમાં સફળતા મળે છે.

રવિ પુષ્ય યોગ

જ્યોતિષિઓના મતે કારતક મહિનામાં આવતી કાલાષ્ટમી તિથિ પર દાયકાઓ પછી એક દુર્લભ રવિ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. આ યોગમાં દરેક શુભ કાર્ય થઈ શકે છે. આ સંયોજન દિવાળીની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ સમયગાળા દરમિયાન ખરીદી કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  FedEx: ફેડેક્સ એ નવી વિયેતનામ સર્વિસ શરૂ કરી જે ભારત તરફની મુસાફરીમાં એક દિવસનો સમય બચાવશે

શુભ સમય

કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 05 નવેમ્બરે સવારે 12.59 કલાકે શરૂ થશે અને 06 નવેમ્બરના રોજ સવારે 3.18 કલાકે સમાપ્ત થશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

 

Vastu Tips for Puja Diya: શું તમે પણ પૂજામાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો? જાણી લો વાસ્તુ મુજબ દીવો રાખવાની સાચી જગ્યા અને તેના અચૂક ફાયદા..
Jay Vijay Curse Story: રાવણ અને કુંભકર્ણના પૂર્વજન્મનું રહસ્ય: શા માટે ભગવાનના દ્વારપાળોએ લેવો પડ્યો રાક્ષસ તરીકે જન્મ? જાણો જય-વિજયની કથા.
Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Mahashivratri 2026: મહાશિવરાત્રીના દિવસે બિલીપત્ર તોડવાની ભૂલ ન કરતા! શાસ્ત્રો મુજબ આજે જ કરી લો સંગ્રહ, જાણો શું છે તેની પાછળનું ધાર્મિક કારણ.
Exit mobile version