Site icon News Continuous Bureau | Mumbai

વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ, જાણો મુહૂર્ત, મંત્ર અને વિધિ વિધાન

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 23 ઓક્ટોબર 2023ના રોજ સાંજે 5:44 વાગ્યાથી શરૂ થશે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 3:14 વાગ્યા સુધી ચાલુ રહેશે.

vijyadashmi puja

vijyadashmi puja

News Continuous Bureau | Mumbai 

હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન શુક્લ પક્ષની દશમી(vijayadashami) તિથિ એટલે કે, શારદીય નવરાત્રીના છેલ્લા દિવસે, ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી પ્રકારની પરંપરાઓ કરવામાં આવે છે. આમાંથી એક આયુધ પૂજા છે જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. 

આ રાજ્યોનો લોકપ્રિય તહેવાર

માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આયુધ પૂજા(shastra puja) એક લોકપ્રિય તહેવાર છે જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉજવવામાં આવે છે. 

સાધનની પૂજા

આયુધ પૂજાનો સંબંધ મા દુર્ગા સાથે છે. તે નવરાત્રી(Navratri)માં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દશેરા પહેલા આયુધ પૂજામાં શસ્ત્ર, વાહન અને સાધનની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. 

શસ્ત્ર પૂજા માટે શુભ મુહૂર્ત

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 23 ઓક્ટોબર 2023ના રોજ સાંજે 5:44 વાગ્યાથી શરૂ થશે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 3:14 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિ અનુસાર, આ વર્ષે 24 ઓક્ટોબરે વિજયાદશમી(vijayadashami) ઉજવવામાં આવશે.

શસ્ત્ર પૂજાની  વિધિ

દશેરા(Dashera)ના દિવસે એટલે કે 24મી ઑક્ટોબરને મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી તમામ શસ્ત્રોને વ્યવસ્થિત રીતે એક જગ્યાએ એકત્ર કરો અને શસ્ત્રો પર પાણીનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરો. આ પછી તમામ શસ્ત્રો પર મૌલી પૂજાનો દોરો બાંધી દો. ત્યારબાદ તિલક લગાવો અને ફૂલોની માળા ચઢાવો. દશેરા પર શસ્ત્રોનું પૂજન કરવાથી દુઃખ અને ભયનો નાશ થાય છે અને દેવી વિજયા પણ પ્રસન્ન થાય છે.
પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો
आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.
स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये

આ સમાચાર પણ વાંચોઃ આજે થઇ Hero Xpulse 400 લોન્ચ, જાણો આ બાઇકના ફિચર્સ અને ખાસિયત

Join Our WhatsApp Channel
September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Vastu Tips Empty Bank Account ખૂબ કમાણી પછી પણ બચત નથી થતી? અપનાવો આ ૫ આસાન ઉપાય, વધવા લાગશે બેંક બેલેન્સ
Raksha Bandhan Timing રાખડી બાંધવાનો સાચો સમય કયો? ૨૮ ઓગસ્ટની સવારે જ કેમ મનાવાશે રક્ષાબંધન? જાણો
Exit mobile version