Site icon News Continuous Bureau | Mumbai

Navratri Day 8: આ રીતે કરો મા દુર્ગાના આઠમાં સ્વરુપની પૂજા, જાણો મહાગૌરીનું સાંસારિક સ્વરુપ અને ધ્યાન મંત્ર વિશે

શિવપુરાણ મુજબ, મહાગૌરીને 8 વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વ જન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો. માટે તેમને 8 વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પતિ રુપમાં મેળવવા માટે તપસ્યા શરુ કરી હતી

Navratri day 8 Mahagauri

Navratri day 8 Mahagauri

News Continuous Bureau | Mumbai 

નવરાત્રીના આઠમા(Navratri day 8) નોરતે માતા આદ્યા શક્તિના મહાગૌરી સ્વરુપની પૂજા કરવામાં આવે છે. શિવપુરાણ મુજબ, મહાગૌરીને 8 વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વ જન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો. માટે તેમને 8 વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પતિ રુપમાં મેળવવા માટે તપસ્યા શરુ કરી દીધી હતી, માટે અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન કરવાનું વિધાન છે. આ દિવસે માની પૂજામાં દુર્ગાસપ્તશતી (Durgasaptsati) ના મધ્ય ચરિત્રનો પાઠ કરવાથી વિશેષ ફળદાયી હોય છે.

ગૌરીનો ધ્યાન મંત્ર

श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिःमहागौरी शुभं दद्यान्महादेवप्रमोददा। 
મહાગૌરી(MahaGauri) પૂજન કરતી વખતે આ મંત્રથી દેવીનું ધ્યાન કરવું જોઈએ.

 

Join Our WhatsApp Community

મહાગૌરીનું સાંસારિક સ્વરુપ

મા મહાગૌરીને શિવા પણ કહેવામાં આવે છે. તેમના એક હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશૂળ હોય છે તો બીજા હાથમાં શિવ(Shiv)નું પ્રતિક ડમરુ હોય છે. પોતાના સંસારિક રુપમાં મહાગૌરી ઉજ્જ્વલ, કોલળ, શ્વેત વર્ણી તથા શ્વેત વસ્ત્રધારી અને ચતુર્ભુજા છે. મહાગૌરીને ગાયન અને સંગીત ઘણાં પસંદ છે. તેઓ સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર રહે છે. તેમના તમામ આભૂષણો વગેરે પણ શ્વેત છે. મહામારીની ઉપાસનાથી પૂર્વસંચિત પાપ નષ્ટ થઈ જાય છે.

આ છે પૂર્વ વિધિ

મા શક્તિના સ્વરુપની પૂજા(MahaGauri Puja) કરવા માટે નારિયેળ, હલવો, પુરી અને શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે કાળા ચણાનો પ્રવાસ વિશેષરુપે બનાવાય છે.

   

પૂજા પછી કન્યાઓને ભોજન

ફાઈલ તસવીર પૂજા પછી કુંવારી કન્યાઓને ભોજન(Kanya Bhojan) કરાવવું અને તેમનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મહાગૌરી માતા અન્નપૂર્ણા સ્વરુપ પણ છે. માટે કન્યાઓને ભોજન કરવવા અને તેમનું પૂજન-સન્માન કરવાથી ધન, વૈભવ અને સુખ-શાંતિ મળે છે.

આ સમાચાર પણ વાંચોઃ Prasad Recipes: નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ રેસિપી, બનાવવામાં છે એકદમ સરળ આજે જ ટ્રાય કરો

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Vaishno Devi Yatra 2026: વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની મોટી જાહેરાત, 3 નવી સુવિધાઓથી શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Exit mobile version