Site icon

IIT Madras Donation : સૌથી મોટું દાન! આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ IIT મદ્રાસને આપ્યું અધધ 228 કરોડ રૂપિયાનું દાન; જાણો આ ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરાશે 

 IIT Madras Donation :IIT મદ્રાસને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીમાંથી 228 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. Indo MIM ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ક્રિષ્ના ચિવુકુલા, જેમણે IIT મદ્રાસમાંથી એન્જિનિયરિંગમાં MTech ડિગ્રી મેળવી છે, તેમણે કૉલેજને ₹228 કરોડનું દાન આપ્યું છે.

IIT Madras Donation IIT-Madras receives single largest donation of Rs 228 crore from alumnus

IIT Madras Donation IIT-Madras receives single largest donation of Rs 228 crore from alumnus

News Continuous Bureau | Mumbai 

IIT Madras Donation : IIT મદ્રાસને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમયાંતરે દાન આપતા રહે છે. પરંતુ આ વખતે સંસ્થાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું છે. 

Join Our WhatsApp Community

IIT Madras Donation :આ ભૂતપૂર્વ વિદ્યાર્થી એ રૂ. 228 કરોડનું દાન આપ્યું

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કૃષ્ણા ચિવુકુલા એ રૂ. 228 કરોડનું દાન આપ્યું છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ચેન્નાઇના ઇતિહાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સૌથી મોટું દાન હોવાનું કહેવાય છે. ડૉ. કૃષ્ણાએ 1970માં IIT મદ્રાસમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ડૉ. કૃષ્ણા આજે ઈન્ડો એમઆઈએમ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના માલિક છે.

 IIT Madras Donation : આ ભંડોળનો ઉપયોગ ક્યાં કરાશે 

ડૉ. કૃષ્ણા ચિવુકુલા એ IIT મદ્રાસને 228 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ બી.ટેકના વિદ્યાર્થીઓ, રમતવીર, વિદેશી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યોને ફેલોશિપ આપવા માટે ખર્ચવામાં આવશે. આ સાથે દર મહિને કોલેજ મેગેઝીન ‘Shaastra’ પ્રકાશિત કરવા માટે ખર્ચવામાં આવશે. એટલું જ નહીં સંસ્થાએ મંગળવારે 1970માં IIT-મદ્રાસમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર કૃષ્ણા ચિવુકુલા ના નામ પર એક શૈક્ષણિક બ્લોકનું નામ આપ્યું હતું.   

IIT Madras Donation : કોણ છે ડૉ. કૃષ્ણા ચિવુકુલા ?

ડૉ. કૃષ્ણા ચિવુકુલા ઈન્ડો એમઆઈએમ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક છે. તેમણે 1970માં IIT-મદ્રાસમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech કર્યું. ચિવુકુલાએ 1980માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું. તેણે પોતાની કંપનીની સ્થાપના કરી તે પહેલાં, તે ન્યૂયોર્કમાં હોફમેન ગ્રુપ ઓફ કંપનીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઈઓ હતા.

આ સમાચાર પણ વાંચો : ભારતે વૃક્ષારોપણમાં સ્થાપ્યો નવો રેકોર્ડ, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આટલા કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યું..

તેમણે 1990 માં શિવ ટેક્નોલોજીસ ઇન્ક.ની સ્થાપના કરી, જે અતિ-ઉચ્ચ શુદ્ધતા સામગ્રીને પ્રમાણિત કરવા માટે અદ્યતન માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં નિષ્ણાત છે, અને બેંગલુરુમાં ઇન્ડો MIM ની સ્થાપના કરી, જે ઉચ્ચ વોલ્યુમમાં જટિલ ભૂમિતિ સાથે નાના ધાતુ અને સિરામિક ઘટકોનું ઉત્પાદન કરે છે. મોટાભાગના એરક્રાફ્ટ ક્રિષ્ના ચિવુકુલાની કંપની દ્વારા ઉત્પાદિત ધાતુઓનો ઉપયોગ કરે છે.

IIT Madras Donation : 2022માં, બે યુગલોએ 425 કરોડ રૂપિયાનું દાન આપ્યું

અગાઉ વર્ષ 2022માં, બે યુગલોએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) બેંગ્લોરને 425 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ દંપતી સુષ્મિતા અને સુબ્રતો બાગચી સાથે રાધા અને એનએસ પાર્થસારથી હતા. આ દાન IISc કેમ્પસમાં PG મેડિકલ સ્કૂલ અને 800 બેડની સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવા માટે આપવામાં આવ્યું હતું.

 

 

CBSE Board Exam 2026: 2026 થી વર્ષમાં આટલી વાર લેવામાં આવશે 10મા ધોરણની પરીક્ષા, CBSE બોર્ડે નવા નિયમોને આપી મંજૂરી…
Paperless Exam : આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ
Career Guidance :યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત, ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે
GSEB Result 2025 : ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ સમગ્ર રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓ A-1 અને A-2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યા
Exit mobile version